SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ શ્રાવકજીવન ૨૫ વર્ષનું દાંપત્યજીવન પસાર કરનાર એક વ્યક્તિએ કહ્યું : "મને વર્ષોથી એક અનુભૂતિ થાય છે કે દુનિયામાં મારું કોઈ નથી કે જેને માટે હું સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છું. મારી ચિંતા કરનાર, મારી પ્રતીક્ષા કરનાર કોઈ પણ નથી. હું મારી જાતને એકલવાયી અનુભવું છું. મેં પૂછ્યું : તમારી પત્ની છે ને ? - તેણે કહ્યું : "છે, પણ આત્મીયતા નથી, અંતરંગતા નથી. જ્યારે હું રાતના નવ વાગે ઘેર પહોંચું છું, તે નિદ્રાધીન હોય છે ! હું જાતે રસોડામાં જઈને, મારા માટે તેણે જે કંઈ રાખ્યું હોય તે ખાઈ લઉં છું. પછી ઘરમાંથી બહાર જઈને મિત્રો સાથે વાતો કરું છું. જીવનસાથી એકબીજાથી જેટલાં વધારે નજીક હશે તેટલાં જ તેમનાં રહસ્યો વધારે સુરક્ષિત રહેશે. ન પતિ પત્નીનાં રહસ્યોનું ઉદ્ઘાટન ક૨શે કે ન પત્ની પતિનાં રહસ્યો પ્રકટ ક૨શે. આવી અંતરંગતા હોવાથી દંપતીમાં કદી દુરાચારદુઃશીલતાનો પ્રવેશ થશે નહિ. કોઈ વાર ભાવોનું પરિવર્તન પણ થાય છે ઃ એવા લોકો કે જેમના લગ્નજીવનનાં કેટલાંક વર્ષો વીતી ચૂક્યાં છે, એ વાતનો સ્વીકાર કરે છે કે કેટલોક સમય સાથે રહેવાથી પછી ક્રૂરતાનો ગાળો પણ આવે છે અને કેટલોક સમય વીતી જાય તે પછી ફરી પાછી નિકટતા આવી જાય છે. એક વ્યક્તિએ બતાવ્યું કે ઃ "કેટલાક સમય માટે જ્યારે વૈવાહિક જીવન કડવાશથી ભરાઈ જાય છે ત્યારે કેટલાય પ્રકારના ભાવો મનમાં પ્રવાહિત થાય છે.” પતિને તેની પત્નીએ કહ્યું : "તમને લાગે છે કે ક્યાંક કશીક ગરબડ છે, પરંતુ તમે બીજા કોઈ સાથે સંબંધ જોડવા યા બધું છોડીને ક્યાંય અન્યત્ર ભાગી જવાની વાત કદી વિચારતા નથી ! બસ, જેમ તેમ પણ ગાડી ખેંચ્યું રાખો છો. તમે જાણો છો કે પરિસ્થિતિમાં નિશ્ચિત રૂપથી સુધારો થશે. બધું ફરીથી સારું થઈ જશે.” પરિશુદ્ધ શીલનું પાલન કરવા માટે દાંપત્યજીવન સારું હોવું અતિ જરૂરી છે. દાંપત્યજીવનમાં વફાદારી એ જ શીલ છે, તે જ સદાચાર છે, અંતરંગતા માટે મહત્ત્વપૂર્ણ વાત છે - એકબીજાને સમજવાં. એકસાથે સમય વીતાવવો, વાતો કરવી અને એકબીજાની અનુભૂતિઓ સાંભળવી; એનું પરિણામ એ આવશે કે એકબીજાની જરૂરિયાત પ્રત્યે સંવેદનશીલતાનો વિકાસ થશે. પતિ-પત્ની વચ્ચે સંવાદિતા ટકી રહેવી જોઈએ. વિસંવાદિતા ન આવવી જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy