SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ શ્રાવકજીવન વર્ણન આવે છે. કોણિક ભગવાન મહાવીર પ્રત્યે અપાર ભક્તિભાવ ધરાવતો હતો. - રાજા વિક્રમાદિત્યે આચાર્ય સિદ્ધસેન દિવાકરનું ભવ્ય સ્વાગત કરીને જૈનશાસનની ઉન્નતિ કરી હતી. - રાજા કુમારપાળે કલિકાલ સર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીનો પાટણમાં ભવ્ય નગરપ્રવેશ કરાવ્યો હતો. પોતાના મિત્રરાજાઓને અને આજ્ઞાંકિત રાજાઓને પણ એ સ્વાગતયાત્રામાં સંમિલિત કર્યા હતા. - માંડવગઢના મહામંત્રી પેથડશાહે ગુરુદેવશ્રી ધર્મઘોષસૂરિજીનો અતિભવ્ય નગરપ્રવેશ કરાવ્યો હતો. – આચાર્યપદ પ્રાપ્ત કરીને પહેલી વાર હીરવિજયસૂરિજી પાટણ પધાર્યા હતા ત્યારે સમરથ ભંસાલી નામના શ્રાવકે ભવ્ય સ્વાગતયાત્રા કાઢી હતી. આવા અનેક પ્રસંગો જેના ઇતિહાસમાં વાંચવા મળે છે. વર્તમાનકાળમાં પણ કોઈ કોઈ વાર મોટાં નગરોમાં પ્રભાવક આચાર્યોનાં ભવ્ય સ્વાગત થાય છે, હજારો સ્ત્રીપુરુષ સ્વાગતયાત્રામાં સામેલ થાય છે. જાહેર પ્રવચનોનું આયોજન : આ તો થઈ સ્વાગતની વાત. બીજી વાત છે જ્ઞાની પ્રભાવકાદિ સાધુપુરુષોનાં જાહેર સ્થળોના પ્રવચનોના આયોજનની વાત. જ્યાં જૈન-અજૈન હજારો લોકો પ્રવચન સાંભળવા આવે અને પ્રવચન સાંભળીને પ્રભાવિત થઈને જાય. સાધુપુરુષોનું આ શ્રેષ્ઠ પુરસ્કરણ છે. તેમની જ્ઞાનપ્રતિભાથી પ્રજાને લાભાન્વિત કરવી જિનશાસનની ઉન્નતિનો શ્રેષ્ઠ ઉપાય છે. મને વર્ષોથી અનુભવ છે કે જાહેર પ્રવચનો કરવાથી જૈન-અજૈન પ્રજા ઉપર કેવો અદ્દભુત પ્રભાવ પડે છે ! આ અંગે મારો શ્રેષ્ઠ અનુભવ છે આણંદના (ગુજરાત) ચાતુર્માસનો. વિ. સં. ૨૦૨૨નું અમારું ચાતુમસ આણંદમાં થયું. આણંદની પાસે વલ્લભ વિદ્યાનગર છે. ત્યાં સરદાર યુનિવર્સિટી છે. અંદાજે ત્યાં ૯ કૉલેજો હતી એ સમયે. આર્ટ્સ કૉલેજ, કૉમર્સ કૉલેજ, સાયંસ કૉલેજ, એમ. એ. કૉલેજ વગેરે. આણંદ સંઘના મુખ્ય કાર્યકર્તાઓએ ત્યાં ૯ કૉલેજોમાં હું પ્રવચનોની શ્રેણીનું આયોજન કર્યું હતું. આટૂર્સ કૉલેજમાં તો "ઉત્તરાધ્યયનસૂત્ર પર પ્રવચનો થયાં હતાં. વિદ્યાર્થીઓએ જ એ વિષય પસંદ કર્યો હતો. ત્યાં જૈનધર્મની સારી પ્રશંસા થઈ હતી. આણંદની સર્વ કૉલેજોમાં, હાઈસ્કૂલોમાં પ્રવચનો આયોજિત કર્યા હતાં. ફાર્મસી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy