SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૨૨૧ અવિવેક વધતો જાય છે ? અમારે એક શહેરમાં જવાનું હતું. અમે શહેરમાં પહોંચ્યા ત્યાં સંઘની પેઢીના મુનીમ અમને મળ્યા. વંદના કરીને તેમણે નિવેદન કર્યું: “અમારે સામૈયું કરવું છે માટે આપ થોડોક સમય અહીં રોકાઓ. સંઘના લોકો આવી રહ્યા છે.” ત્યાં અમે એક મકાનમાં રોકાઈ ગયા. ૧૦ મિનિટ પછી બેંડ આવ્યું અને સંઘના કાર્યકર્તાઓ આવ્યા. બીજી ૧૦ મિનિટ વીતી ગઈ. એ કાર્યકર્તાએ કહ્યું : "મહારાજસાહેબ, આપણે ચાલીએ, રસ્તામાં લોકો ભેગા થઈ જશે.” મેં કહ્યું પહેલાં તમે બેંડ રવાના કરો. અમારે બૅડની જરૂર નથી. અમે એમ જ ગામમાં આવીશું. તે ભાઈએ માન્યું જ નહીં. પછી મેં મક્કમ થઈને કહ્યું: "જો તમારે બેંડ વગાડવું જ હોય તો વગડાવો, અમે ગામમાં નહીં આવીએ. અહીં જ બેસી રહીશું. શું તમે જૈનધર્મની નિંદા કરાવવા માગો છો? જેટલા બેંડવાળા છે એટલાય પુરુષો નથી, અને તમારે સામૈયું કરવું છે? સામૈયું કરવાનું કોણે કહ્યું? અમે સામૈયું પસંદ નથી કરતા.” આટલું કહ્યું ત્યારે એ ભાઈએ બેંડવાળાને વિદાય કર્યા અને પછી અમે ગામમાં ગયા. તમે લોકો સામાન્ય બુદ્ધિથી પણ નથી વિચારતા કે શું કરવાથી જિનશાસનની પ્રભાવના વધશે, શું કરવાથી ગૌરવને હાનિ પહોંચશે. આ વિચારવું જોઈએ. વિવેકવૃષ્ટિથી વિચારવું જોઈએ. સ્વાગતયાત્રા, શોભાયાત્રા, રથયાત્રા કાઢવાથી જિનશાસનની શોભા નહીં વધે. ભલે વર્ષમાં બે-એક વાર જ સ્વાગતયાત્રા યા રથયાત્રા કાઢો, પરંતુ ભવ્યતાથી કાઢો, સર્વ જૈનો મળીને કાઢો. ઐતિહાસિક સ્વાગતયાત્રાઓનાં વર્ણનો વાંચોઃ ગુરુદેવોનું સ્વાગત કેવી રીતે કરવામાં આવે છે, નગરપ્રવેશ કેવી રીતે કરવામાં આવે છે, એનો ઇતિહાસ છે! આપણા પ્રાચીન ચરિત્રગ્રંથોમાં સ્વાગતયાત્રાઓનાં વર્ણનો મળે છે. કેટલાંક નામોનો નિર્દેશ જ કરું છું ઃ જ્યારે ભગવાન મહાવીર ચંપાનગરીમાં પધાયા, એ સમયે મગધસમ્રાટ કોણિકની રાજધાની ચંપામાં હતી. એને ખબર પડી કે ભગવાન મહાવીર પૂર્ણભદ્ર ચૈત્યમાં ઊતર્યા છે. ભગવાનને વંદન કરવા માટે કોણિક ખૂબ સજ્જ થઈને ગયો હતો. પ્રાચીન કાળમાં જ્યારે આચાયદિ નગરની બહાર ઉદ્યાનોમાં ઊતરતા હતા, એ સમયે આચાદિકનો નગરપ્રવેશ કરાવવામાં આવતો ન હતો. પરંતુ રાજા, શ્રેષ્ઠી વગેરે જનસમુદાયની સાથે હાથી, ઘોડા, રથ સાથે ગુરુદેવને વંદન કરવા જતા હતા. દર્શનયાત્રા નીકળતી હતી. – “ઔપપાતિક સૂત્રમાં કોણિક રાજાનું ભગવાનને વંદન કરવા જવાનું વિસ્તૃત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy