SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૨૧૯ કાર્યમાં લાગી જાય તો તમારા ગામમાં એક પણ અનાથ ન રહી શકે. બધા સનાથ થઈ જાય. એ સનાથ બનેલા લોકો તમારો તો જય-જયકાર કરશે જ, જિનશાસનનો પણ જય-જયકાર કરશે. આવાં કાર્યોમાં રાજ્ય સરકાર પણ સહાયતા કરે છે - જો તમે આ દિશામાં નક્કર કાર્ય કરો તો. આવા કેટલાક અનાથાશ્રમો સરકાર ચલાવે છે. કેટલીક સામાજિક સંસ્થાઓ પણ અનાથાશ્રમ ચલાવે છે. જૈનસંઘો તરફથી પણ અનાથાશ્રમો ચાલવા જોઈએ. બાળકો, વૃદ્ધો, અપંગો માટે પણ ચાલવા જોઈએ. એથી જિનશાસનની ઉન્નતિ થશે, જૈનધર્મની કીર્તિ વધશે. આ કાર્યમાં તમે તમારી સંપત્તિનો ઉપયોગ કરો. આજે કેટલાક નવા શ્રીમંતોને આવાં કાર્યો પસંદ પડે છે. માર્ગદર્શન મળવું જોઈએ, નિષ્ઠાવાન કાર્યકર્તાઓથી જ સાચા માર્ગે ચાલી શકાય છે. એવા નિષ્ઠાવાન કાર્યકરો પણ મળે છે. જોઈએ માત્ર તીવ્ર તમન્ના અને જિનશાસન પ્રત્યે અગાધ પ્રેમ ! ચોથો ઉપાય-સુવિહિત સાધુઓનું પુરસ્કરણ : આપણી વાત ચાલે છે જિનશાસનની ઉન્નતિ કરવાની. એ દ્રષ્ટિએ આ ચોથો ઉપાય બતાવવામાં આવ્યો છે. ગામમાં તમારો સૌની સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર હશે. લોકોનો ઉચિત વિનય કરતા હશો. દીન-અનાથ લોકોનાં કાર્યો કરતા હશો. એનાથી તમારી ગામ-નગરમાં કિતિ ફેલાઈ જશે. નગરવાસી લોકોનો તમારા પ્રત્યે નેહ બંધાયો હશે. આવી સ્થિતિમાં તમે વિશિષ્ટ જ્ઞાની, તપસ્વી પ્રભાવક આચાર્યનું યા મુનિવરનું ભવ્ય સ્વાગત કરો છો, નગરપ્રવેશ કરાવો છો, તો જિનશાસનની શાન વધે છે. લોકો વાતો કરશે કે "આ જૈનાચાર્ય કેટલા સારા છે? પરોપકાર કરવાની વાત કરે છે - પ્રેરણા આપે છે. લોકોને સન્માર્ગનો ઉપદેશ આપે છે.” તમારો વ્યવહાર સારો હશે, તમે પરોપકારનાં કાર્યો કરતા હશો તો બીજા સમાજના લોકો તમારી પ્રશંસા કરશે. એટલે કે જિનશાસન પ્રત્યે સદૂભાવવાળા બનશે. પરંતુ જો તમારા લોકોનો વ્યવહાર સારો નહીં હોય, પરોપકારનાં કાર્યો નહીં કરતા હો તો લોકો તમારી પ્રશંસા નહીં કરે. સંભવ છે કે નિંદા કરશે."આ સાધુ..... પોતાના ધર્મવાળાઓને સારો ઉપદેશ નહીં આપતા હોય, કેવળ પોતાની જવાહવાહ કરાવતા ફરતા હશે”... વગેરે. સાધુઓનો નગર-પ્રવેશ અને સામૈયું: તમને લોકોને સામૈયું કેવી રીતે કરવું તે આવડે છે? ધ્યાન રાખો, સામૈયું સાધુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy