SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ શ્રાવકજીવન બજારમાં “નૈન નયતિ શાસનY'ની બૂમો પાડવા માત્રથી જિનશાસનની ઉન્નતિ નહીં થાય, ઉન્નતિ આવાં કાર્યોથી થશે. સૂત્રો પોકારવાં બંધ કરો. તમારી અને અમારી મશ્કરી થાય છે. લોકો હસે છે. અનાથોનો ઉદ્ધાર કેવી રીતે કરશો? - વાસ્તવમાં જિનશાસનનો જય-જયકાર કરવો હોય તો અનાથો માટે આશ્રયસ્થાનો બનાવવા જોઈએ. તેમને ભોજન અને વસ્ત્રો મળવાં જોઈએ. એમને યોગ્ય વ્યવસાય મળવો જોઈએ. તેમને લાગવું જોઈએ કે દુનિયામાં અમારું પણ કોઈક છે. અમારાં દુઃખ સમજનારા છે, અમને સહારો દેનારા છે. તેમને જીવનની સુવિધાઓ મળશે તો પરમાત્મા જિનેશ્વરદેવનાં અને જિનધર્મનાં ગુણગાન ગાશે, ગૌરવ કરશે અને જિનશાસનનું અનુશાસન માનશે. અનાથોનો ઉદ્ધાર–મહાન કાર્ય અનાથોનો ઉદ્ધાર-સમુદ્ધાર કરવાની વાત જિનશાસનના એક મહાન આચાર્યદવ કરી રહ્યા છે. સેંકડો વર્ષ પૂર્વે તેઓ લખી ગયા છે. તેમની વાત ઉપર ગંભીરતાથી વિચારવું જોઈએ. એમના કાર્યની કેમ ઉપેક્ષા થઈ છે એ વાત મારા સમજવામાં નથી આવતી. આ કાર્ય ઈસાઈ ધર્મવાળા કેટલાય વર્ષોથી કરી રહ્યા છે. બીજા ધર્મવાળાઓએ પણ અનાથાશ્રમોની સ્થાપના કરી છે. પરિણામ તમે જોઈ રહ્યા છો. દુનિયામાં સૌથી વધારે અનુયાયી ઈસાઈ ધર્મના છે. તે લોકો રોડ ઉપર સરઘસો કાઢીને સૂત્રો નથી પોકારતા કે "અમારો ઈસાઈ ધર્મ મહાન છે.” તે લોકો તો ગામ-નગરોમાં જઈને કામ કરે છે. દુઃખી મનુષ્યોની સેવા કરે છે. દીન-અનાથોનો ઉદ્ધાર કરે છે. તેથી તેમની સંખ્યા વધતી જાય છે ! તમે લોકો તો એટલા સ્વાર્થી બન્યા છો કે તમારા અનાથ સાધમિકોનો પણ ખ્યાલ રાખતા નથી. તમે તો તમારા રંગ-રાગ અને મોજ-મજામાં મસ્ત છો. સભામાંથી મોટા પર્વોના દિવસોમાં કોઈ કોઈ વાર અનાથોને ભોજન આપીએ છીએ, અથવા મીઠાઈ વહેંચીએ છીએ. મહારાજશ્રી એને ઉદ્ધાર-સમુદ્ધાર ન કહેવાય. એ તો તત્કાલીન સહાયતા હોય છે. પ્રાસંગિક કર્તવ્ય હોય છે. સમુદ્ધાર તો એને કહેવાય કે અનાથની અનાથતા દૂર થઈ જાય ! આ કાર્ય કદાચ તમે સમૂહ રૂપે ભલે ન કરો, વ્યક્તિગત રૂપે કરી શકો છો ! એક-એક સુખી શ્રાવક, સંપત્ર શ્રાવક એક-એક અનાથનો ઉદ્ધાર કરવાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy