SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૨૧૭ કમોર થઈ જઈએ છીએ. બે-ત્રણ વાર તો મેં એને સહાય કરાવી, પછી તો મારી પાસે આવવાનો રસ્તો ભુલાવી દીધો ! - ૨ કેટલાક ચાલાક લોકો દીનતાની સાથે સાથે ચાટુકારી (ચાપલુસી) પણ કરે છે. ચાટુકારિતા પ્રાયઃ મનુષ્યના વિવેકને વિકૃત કરી દે છે. ચાટુકારને પ્રસન્ન કરવા વિવશ બનાવી દે છે, એટલા માટે ચાટુકારોથી દૂર રહેવું. – કેટલાક ચાલબાજ લોકો દીનતાભર્યા સ્વરમાં અનુચિત અથવા અનાવશ્યક માગ કરે છે. જ્યારે આપણે ઈન્કાર કરી દઈએ છીએ ત્યારે તે લોકો આપણી ઉપર આરોપ મૂકે છે કે "આપ મને પસંદ કરતા નથી, હું આપને સારો નથી લાગતો.” આવી વાતો કરનારાઓની સામે કમજોર વ્યક્તિ નમી જાય છે; પરંતુ આપણે કમજોર ન થવું જોઈએ. ચાલબાજ વ્યક્તિનો વ્યવહાર ખૂબ જ ઔપચારિક હોય છે. એની ચાલનો સામનો કરવા માટે એની સાથે વાતચીત ન કરવી. પોતાના કામમાં જ વ્યસ્ત રહો. ચાલબાજ વ્યક્તિ ઉપર દબાણ લાવીને તેની ચાલને નિરર્થક કરી દેવી. લોકો તમારો ખોટો ફાયદો ન ઉઠાવે, એ માટે સતર્ક રહેવું પડશે. ઠગાઈ જતાં બચવા માટે તમે જે કંઈ ઉચિત-યોગ્ય સમજો તે કરો. અનાથોનો ઉદ્ધાર કરવાનો છે ઃ એક વાત ભૂલવી નહીં કે દીન અને અનાથોનો ઉદ્ધાર કરવાનો છે, અને તે જિનશાસનની ઉન્નતિ માટે છે. આપણે જીર્ણ મંદિરનો ઉદ્ધાર ક૨વો, જીર્ણ ઉપાશ્રયનો ઉદ્ધાર કરવો આવશ્યક અને ધર્મકાર્ય માન્યું છે, તેથી જીર્ણોદ્ધાર કરીએ પણ છીએ. પરંતુ દીન અને અનાથજનોનો ઉદ્ધાર કરવો એટલું જરૂરી માન્યું નથી. જો આપણે એ જરૂરી માન્યું હોત તો એ કાર્યને સંપન્ન કરવા માટેની સંઘમાં યોજનાઓ હોત. સ્થળે સ્થળે અનાથોનાં આશ્રયસ્થાનો હોત. અનાથોનાં આશ્રયસ્થાનો નથી. જિનશાસનની ઉન્નતિ માટે આ ઉપાયને ઉપેક્ષિત કરી દીધો છે. ધર્મ અને જાતિનો ભેદ પાડ્યા સિવાય, આ દીન-અનાથોના ઉદ્ધારનું કાર્ય તમારે લોકોએ-શ્રાવકોએ કરવાનું છે. તમે લોકોએ મંદિર બંધાવ્યાં, ઉપાશ્રયો બનાવ્યા, આયંબિલ ભવન અને ધર્મશાળાઓ બનાવી, પશુઓ માટે પાંજરાપોળો પણ બનાવી, પરંતુ અનાથ લોકો માટે શું કર્યું ? અનાથ-અસહાય લોકોની પીડા સમજો છો ? કદી એવા લોકો પાસે જઈને તેમની વેદના-વ્યથાને સમજવાનો પ્રયત્ન કર્યો છે ? અનાથ બાળકોની વેદના સમજો, અનાથ વૃદ્ધજનોની વેદના જુઓ. અનાથ વયસ્ક સ્ત્રીપુરુષની વેદના જુઓ. જો તમારામાં દયા, કરુણાના ભાવ હશે તો તમારી આંખો વરસવા લાગશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy