SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ શ્રાવકજીવન તેમની દીનતા દૂર કરવાની કળા તમારી પાસે હોવી જોઈએ. તેમની ઉપેક્ષા ન કરવી જોઈએ. એવું ન વિચારવું કે “એને તો ટેવ છે નાની નાની વાતોમાં રડવાની, દીનતા બતાવવાની, શોક કરવાની. કરવા દો રુદન, મરવા દો, હું શું કરું? તમે શ્રાવક છો, તમારે એવું ન વિચારવું જોઈએ. તમે જાતે દીન ન બનો: તમે શ્રાવક છો. સમ્યગુ વૃષ્ટિ છો. તમારામાં દીનતા હોઈ જ ન શકે! દીનતા તો ભવાભિનન્દી જીવોમાં હોય છે. જેઓ સંસારપ્રિય છે, વિષયાસક્ત છે, તેઓ દીન-મુદ્ર, મત્સરી-ભયભીત હોય છે, શઠ અને અજ્ઞ હોય છે. આવક-જાવકમાં રાગદ્વેષ કરનારા હોય છે. તમે તો શ્રાવક છો, તમારામાં એ દુર્ગુણો ન હોઈ શકે. જ્યારે જિનેશ્વરદેવ મળ્યા છે, જિનશાસન મળ્યું છે ત્યારે દીનતા કઈ વાતની? એક મહાત્માએ પ્રભુની સ્તવના કરતાં કહ્યું છે? "ગઈ દીનતા સબ હી હમારી પ્રભુ! તુજ સમકિત દાન મેં.” "હે ભગવંત, તમે મને સમકિતનું દાન આપ્યું અને મારી દીનતા ચાલી ગઈ.” “સમક્તિ” “સમ્યગુ દર્શન” મળતાં મનુષ્ય દીન નથી રહી શકતો. ગમે તેવા સંજોગો મળે છતાં તે દીન નહીં રહે - દીનતા નહીં કરે. ગમે તેવાં કષ્ટો આવે, તે ભયભીત નહીં બને. ગમે તેવાં પ્રલોભનો આવે, તે ક્ષુદ્ર નહીં બને. સમકિત પ્રકટ થતાં એ મહાનુભાવમાં વિશિષ્ટ ગુણો પેદા થાય છે. એની દ્રષ્ટિ આધ્યાત્મિક બની જાય છે. આધ્યાત્મિક દ્રષ્ટિવાળો મનુષ્ય કદી પણ દીન નથી બનતો. તમે સ્વયં દીન નહીં બનો તો જ બીજા દીનજનોનો ઉદ્ધાર કરી શકશો - દીનજનોની દીનતા દૂર કરી શકશો. ઠગ લોકોથી સાવધાન રહો : – કેટલાક અનુભવી અને ચાલાક વયસ્ક લોકો દીનતા દેખાડીને, દેખાવ કરીને તમારું ભાવાત્મક શોષણ ન કરે એટલા માટે સાવધાન રહેવું. - મને એવા કેટલાક ચાલાક ઢોંગી લોકો મળ્યા છે. એક યુવક વારે વારે મારી પાસે આવીને દીનતાપૂર્વક કહેતો હતો : "હું મુસીબતમાં છું. મને મદદ કરો.” તે મારી ભાવના સાથે રમત રમી રહ્યો હતો. તે જાણી ગયો હતો કે હું દુખી લોકો પ્રત્યે કરુણા બતાવું છું. તે ખૂબ બનાવટી હતો. મારા પરિચિત બીજા સાધુઓને પણ પોતાના દામાં ફસાવ્યા હતા. જ્યારે મને ખબર પડી કે તેની દીનતા માત્ર દેખાવ જ હતો. “આંસુ” એવા લોકોનું પ્રિય અસ્ત્ર હોય છે. જરૂર પડતાં તેઓ તરત જ રોઈ જાય છે! બસ, આપણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy