SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ શ્રાવકજીવન લેવાની ક્ષમતા હોવી જોઈએ. સંકટને પતાવી લેવા માટે તમારે હકારાત્મકતા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. સંવાદ-કૌશલ્ય પ્રાપ્ત કરવું પડશે અને પોતાની જાતને પરિસ્થિતિઓને અનુરૂપ બનાવવી પડશે. એક ૪૦ વર્ષના પ્રાધ્યાપક પાસે લગભગ બધું જ હતું - જીવનમાં તે ઇચ્છતો હતો તે બધું જ હતું. એને ત્રણ સંતાનો હતાં, પત્ની હતી. પ્રાધ્યાપક તરીકેનો પૂરો અધિકાર પ્રાપ્ત હતો. એક સફળ લેખક પણ હતો. તેનું જીવન પૂરી ગતિથી આગળ વધી રહ્યું હતું. પરંતુ અચાનક એક દિવસ સંકટ આવ્યું. તેની પત્ની વગર કારણે એક દિવસ બિસ્તરાં બાંધીને તેને છોડીને ચાલી ગઈ. પ્રાધ્યાપકના ભાઈને અતિશય ધૂમ્રપાન કરવાથી ગળાનું કૅન્સર થઈ ગયું. ડૉકટરે ઓપરેશન કરીને તેની સ્વરપેટી કાઢી લીધી. પ્રાધ્યાપક રડી પડ્યો, આ કરુણ ઘટના જોઈને. પરંતુ તે હિંમત ન હાર્યો. તેણે બાળકોને સંભાળવાનો સમય નિશ્ચિત કરી દીધો, અને પત્ની પાસે જઈને તેને સમજાવી કે મનોચિકિત્સકને બતાવીને ઉપાય કરીએ. પત્ની સંમત થઈ ગઈ. એની પત્નીને ખબર પડી ગઈ કે તેનો પતિ ઈમાનદારીથી જીવવા ઇચ્છે છે. વિનયમાં ઔચિત્ય હોવું જરૂરી ઃ - જે પરિવારમાં માતાપિતા બાળકો પ્રત્યે જાગ્રત હોય છે કે "અમારાં બાળકો નમ્ર હોવાં જોઈએ” - એ પરિવારમાં બચપણથી જ વિનયના સંસ્કારો હોય છે. એક સંભ્રાન્ત પરિવાર સાથે અમારે ૧૫ દિવસ રહેવાનો પ્રસંગ આવ્યો. ત્રણ છોકરાઓ કૉલેજમાં ભણતા હતા. તેમના પિતાજી મુંબઈના જૈનસંઘના પ્રસિદ્ધ શ્રીમંત હતા. એક દિવસ બે છોકરાઓ મારી પાસે બેઠા હતા. સાંજનો સમય હતો. હું છોકરાઓને કંઈક સમજાવી રહ્યો હતો. એટલામાં તેમના પિતાજી આવ્યા અને મારી પાસે બેઠા. એક મિનિટમાં જ બે છોકરાઓ ઊભા થઈને રવાના થઈ ગયા. બીજે દિવસે મેં એમને પૂછ્યું : "પિતાજી આવતાં તમે બંને ભાઈઓ ઊઠીને કેમ ચાલ્યા ગયા ?” તેમણે જવાબ આપ્યો: "જ્યાં પિતાજી બેઠા હોય ત્યાં અમારે નિષ્પ્રયોજન બેસવું ન જોઈએ. પિતાજીને જે વાતો આપની સાથે કરવી હોય તે વાતો કદાચ ન કરી શકે...... એટલા માટે અમે ચાલ્યા ગયા.” આ હતો ઉચિત વિનય. જો છોકરાઓમાં વિનય ન હોત તો પિતાજીને કહેવું પડત ઃ ”અત્યારે તમે જાઓ, મારે સાહેબજી સાથે વાત કરવી છે.” પરંતુ એવું કહેવાનો પ્રસંગ જ ન આવ્યો. બોલવામાં, બેસવા-ઊઠવામાં, ચાલવામાં સર્વત્ર વિનય હોવો જરૂરી છે. જો તમે નોકરી કરતા હો તો શેઠ સાથે વાત કરવામાં વિનય જોઈએ. ક્યાં બેસીને શેઠ સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy