SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૨ ૨૦૭ મારા પતિ જે કામ મેં ન કર્યું હોય તેની વાત જ કાઢતા નથી ! અને કોઈ વાર મારા પતિ એકાદ સોદો કર્યા વગર નિરાશ થઈને ઘેર આવે છે, તો હું તેમને યાદ અપાવું છું કે ”પાછળના સપ્તાહમાં તેમણે ત્રણ-ત્રણ સારા સોદા પતાવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી ને !” હવે અમે, જે અમારી પાસે નથી તેની તરફ ન જોતાં જે અમારી પાસે છે તેની તરફ જ જોઈએ છીએ. ૪. ચોથું રહસ્ય છે ઃ સ્વસ્થ અને સહજ સંવાદ. સ્વસ્થ અને સહજ સંવાદથી પરસ્પર પોતાપણાની ભાવના પાંગરે છે. મુશ્કેલીઓ-સંકટોની તાણ શિથિલ થઈ જાય છે. પરંતુ ઉત્તમ સંવાદ એકાએક સ્થાપિત થઈ જતો નથી. એ સ્થિતિએ પહોંચવામાં પૂરા સમયની અને અભ્યાસની આવશ્યકતા રહે છે. એક પિતાએ કહ્યું : "અમે સાધારણ વાતચીતમાં પણ વધારે સમય વિતાવીએ છીએ. કોઈ કોઈ વાર અમે એવાં મહત્ત્વપૂર્ણ પ્રકરણ, ભાવનાઓ તથા મૂલ્યો પામીએ છીએ કે જેમને પ્રોત્સાહિત કરવાની આવશ્યકતા હોય છે. જો મારો પુત્ર મારી સાથે કાર, ટેનિસ યા ક્રિકેટસંબંધી વાત કરી શકતો ન હોય, તો હું એની પાસે આશા કેવી રીતે રાખી શકું કે તે શાળામાં ફેલાયેલી નશાખોરીની બાબતમાં મારી સાથે વાત કરી શકશે ? સારા સંવાદનો અર્થ છે ગેરસમજો દૂર કરવી. એકબીજાની વાતોનો યોગ્ય અર્થ કાઢવામાં પરિવાર સતર્ક હોવો જોઈએ. ૫. પાંચમું રહસ્ય છે ઃ શુભ કામના. શુભ કામના એટલે બીજાં માટે સહભાગિતા, પ્રેમ અને સંવેદના. ઘરના કેટલાક સભ્યોની આંતરિક અભિલાષા ધર્મસ્થાનોની સદસ્યતાના રૂપમાં અભિવ્યક્ત થાય છે. બીજા સદસ્યોની આત્મીયતા પોતાની આસપાસના લોકો પ્રત્યે સેવા અથવા ચિંતાના રૂપમાં પ્રકટ થાય છે. આવી સ્થિતિમાં એકબીજાની કટુ આલોચના ન કરતાં એકબીજા પ્રત્યે શુભ કામનાઓ વ્યક્ત કરવી જોઈએ. પરંતુ પિરવારનાં કેટલાંક મૂલ્યો હોવાં જોઈએ. જેવાં કે ઈમાનદારી, જવાબદારી, સહિષ્ણુતા વગેરે. આપણે રોજના વ્યવહારમાં પણ એનું પાલન કરવાનું હોય છે. એવું ન બની શકે કે હું વાત ઈમાનદારીની કરું અને આવકવેરો ભરવામાં દગાબાજી કરું. એ ન બની શકે કે હું જવાબદારીનો પ્રલાપ તો કરતો રહું, પણ જરૂરવાળા પાડોશીથી મોઢું ફેરવી લઉં. ૬. અંતિમ અને છઠ્ઠું રહસ્ય છે ઃ સંકટ સાથે સંઘર્ષ કરવો. એવું નથી કે અખંડ પરિવારો સામે કોઈ સમસ્યા કદી ન આવે. સમસ્યાઓ તો આવે છે. જીવનની અનિવાર્ય ચેલેન્જો આવી પડે તો તેમની સાથે ઝઝૂમવાની અને તેમને કાબૂમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy