SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ શ્રાવકજીવન જ્યારે હું નહીં હોઉં ત્યારે પણ મારા પૌત્ર અથવા પ્રપૌત્ર પાસે એક સારો પિતા હશે, કારણ કે હું એક સારો પિતા હતો !” એવા પિતાનો વિનય કરવા શું બાળકોને ઉપદેશ આપવો પડશે? ના, તેઓ સ્વયં જ પિતાને સમર્પિત બની જશે. ૨. બીજું રહસ્ય છે. પરિવારના સભ્યો સાથે ઊઠવું, બેસવું અને સાથે સાથે જ બધું કરવું. અંદાજે ૧૫૦૦ બાળકોને પૂછવામાં આવ્યું કે "તમારા વિચારમાં સુખી પરિવારનો આધાર શું છે?” તો તેમણે ધનસંપત્તિ, કાર યા બંગલાનું નામ ન દીધું, તેમનો જવાબ હતો સાથે સાથે બધું કરવું.” અતૂટ પરિવારના સભ્યોમાં સહમતિ હોય છે. તેઓ મોટા ભાગનો સમય સાથે જ વિતાવે છે. સાથે જ કામ કરે છે, સાથે રમે છે, ધાર્મિક અનુષ્ઠાનોમાં ભાગ લે છે અને સાથે જ ભોજન કરે છે. સાથે સાથે જે સમય વિતાવવામાં આવે તે સમય પયપ્તિ હોવો જોઈએ અને સારો પણ હોવો જોઈએ. કેવળ કેટલીક મિનિટો જ સાથે વિતાવવાનો કોઈ અર્થ નથી અને મુખ બગાડીને પણ સાથે રહેવાનો કોઈ અર્થ નથી - તે કશું મહત્ત્વ ધરાવતો નથી.” ૩. ત્રીજું રહસ્ય છેઃ પરસ્પરની પ્રશંસા કરવી. બીજાંની પ્રશંસા પામવાની અનુભૂતિ, માનવીય આવશ્યકતાઓમાંની એક પ્રાથમિક આવશ્યકતા છે. એક માતાએ લખ્યું છેઃ "દરેક રાતે અમે પતિ-પત્ની, બાળકોના સૂવાના ઓરડામાં જઈએ છીએ અને દરેકને ગળે લગાવીએ છીએ, ચૂમીએ છીએ, પછી કહીએ છીએ - "તમે સાચે જ સારાં બાળકો છો. અમે તમને ખૂબ ચાહીએ છીએ.” કહો, આવાં માતાપિતાનો વિનય બાળકો કરશે કે નહીં કરે? અવશ્ય કરશે. એક દંપતીએ બતાવ્યું કે અમે એક એવા યુગલના પરિચયમાં આવ્યાં કે જે કૂર ભંગ કરવામાં આનંદ લેતું હતું - વિશેષ કરીને પરસ્પરમાં. અમે અનુભવ્યું જ ન હતું કે તેમનું એકબીજાના દોષો કાઢવાનું અને એકબીજાને નીચા દેખાડવાનું અમારા ઉપર કેટલો ખરાબ પ્રભાવ પાડી રહ્યું હતું. અમારો દૃષ્ટિકોણ પણ નકારાત્મક થતો ગયો. અમે નિશ્ચય કર્યો કે અમે એમની સાથે બેસવા-ઊઠવાનું બંધ કરી દઈશું. પહેલાં અમે નવા મિત્રો શોધ્યા. પછી અમે હકારાત્મક વાતો પર જોર દેવાનું શરૂ કર્યું. હવે જ્યારે મારા પતિ ઘેર આવે છે ત્યારે કહે છે: "આજે તો હું જોઉં છું કે તું દિવસભર બાળકો સાથે એકરૂપ છે તે વાળ પણ ઓળ્યા છે અને ખરીદી પણ કરી લીધી છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy