SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૨૦૫ સંતાનો આપોઆપ તમારો આદર કરે. બાળકોનો પ્રેમ, આદર અને સમર્પિતતા પામવી તમારે માટે અતિ આવશ્યક છે. જો તમે એ વાતને ગંભીરતાથી નહીં વિચારો તો તમારે ભવિષ્યમાં કડવાં પરિણામો જોવાં પડશે. પરિવારને સંયુક્ત રાખવો હોય, વિભક્ત થવા દેવો ન હોય, તો તમારે કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો વિચારવી રહી. પરિવારને અખંડ રાખવાના ઉપાયો : મોક્ષની આરાધનામાં, ધર્મનો પુરુષાર્થ કરવામાં સંયુક્ત પરિવારનું મહત્ત્વ છે. માનસિક સ્વાથ્ય ટકાવી રાખવા માટે પણ સંયુક્ત પરિવાર હોવો આવશ્યક છે. જો કે કેટલાક લોકોને સંયુક્ત પરિવારમાં રહેવું પસંદ નથી હોતું, પરંતુ અલગ થયા પછી અનુભવે છે કે સંયુક્ત પરિવારમાં રહ્યા હોત તો સારું હતું. અમેરિકા જેવા દેશમાં કે જ્યાં સંયુક્ત પરિવારની સંસ્કૃતિ નથી ત્યાં પણ આ વિષય ઉપર શોધ-અનુસંધાન થવા લાગ્યાં છે-અધ્યયન થવા લાગ્યાં છે. અમેરિકામાં હમણાં જ એક સંસ્થા અસ્તિત્વમાં આવી છે - "ફેમિલી સ્ટેટ્સ રિસર્ચ પ્રોજેક્ટ" એટલે કે પરિવાર દ્રઢતા અનુસંધાન પરિયોજના.” આ પ્રોજેક્ટના સંચાલક નિકસ્ટિનેટ અને જોન ડિફેને અમેરિકાના ૨૫ રાજ્યોના ૪૮ છાપાઓમાં એક સંક્ષિપ્ત સૂચના પ્રકાશિત કરાવી : "જો તમે સંયુક્ત પરિવારમાં રહેતા હો તો કૃપયા અમારો સંપર્ક સાધો. પરિવાર કેમ તૂટે છે એ વિશે તો અમે ઘણું બધું જાણીએ છીએ, પરંતુ અમારે તો એ વિશે અધિક જાણકારી મેળવવી છે કે પરિવાર અતૂટ કેવી રીતે રહે છે !” આ અધ્યયનમાં ૩૦૦૦થી અધિક પરિવારોએ ભાગ લીધો. આ અધ્યયનથી એક આશ્ચર્યજનક તથ્ય પ્રકટ થયું. ઘણા બધા પરિવારોએ છ મહત્ત્વપૂર્ણ રહસ્યોનો ઉલ્લેખ કર્યો છે, જે કોઈ પણ પરિવારને અતૂટ અને સુદ્રઢ બનાવે છે. એ છે રહસ્યો સંક્ષેપમાં જણાવું છું ૧. પહેલી વાત તો એ છે કે પરિવારના સભ્યો એકબીજાના કલ્યાણ અને સુખની ભાવનાવાળા હોવા જોઈએ. એકબીજા પ્રત્યે સમર્પિત હોવા જોઈએ. એમાં પણ એક મહત્ત્વપૂર્ણ વાત છે યૌનસંબંધી-યૌનસંબંધોમાં એકનિષ્ઠતા હોવી જોઈએ. વિવાહ સિવાયના યૌનસંબંધ ન હોવા જોઈએ. એવા સંબંધથી તમારી પત્નીના આત્મગૌરવને ભયંકર ઠેસ વાગશે. પતિ-પત્નીના સંબંધોમાં તિરાડ પડી જાય છે. બીજી અગત્યની વાત છે કામની વ્યસ્તતા. માતાપિતાએ પોતાનાં કાર્યોમાં એટલાં વ્યસ્ત ન રહેવું જોઈએ કે જેથી તેઓ પોતાનાં સંતાનો સાથે પ્રેમથી વાત પણ ન કરી શકે. એક સુશિક્ષિત અમેરિકન પિતાએ કહ્યું છે: "હું મારા પુત્રો માટે સારો પિતા હોઉં તો એવી સંભાવના રહે કે તેઓ પણ સારા પિતા બને. એક દિવસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy