SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ શ્રાવકજીવન છે ! અચાનક અટકી જવું પડે છે. સંતુલન ન રહે તો રસ્તા ઉપર પડી જવાય ! – ઘણી વાર શોભાયાત્રાઓમાં પણ લોકો આવો અવિનય કરે છે. કરવા જતા હોય છે વિનય, પણ થઈ જાય છે અવિનય. જ્યારે અમે ચાલીએ છીએ ત્યારે લોકો પગ દબાવવા લાગે છે. આ રીતે રસ્તામાં પગ દબાવવા અનુચિત છે. – કેટલાક લોકો પ્રવચન પૂરું થતાં ઝડપથી અમારી પાસે આવે છે અને બે હાથે પગ દબાવવા લાગે છે. આ ઉચિત વિનય નથી. માત્ર ચરણસ્પર્શ જ કરવો જોઈએ, એ ઉચિત વિનય છે. કોઈ કોઈ વાર અમે સ્વાધ્યાય-નિમગ્ન હોઈએ છીએ, તે સમયે કેટલાક લોકો આવીને જોરશોરથી ચંદનનાં સૂત્ર બોલીને વંદન કરે છે ! અમારી ધ્યાનધારા તૂટી જાય છે ! વંદન કરવું એ વિનય છે, પરંતુ અયોગ્ય સમયે વંદન કરવું એ અવિનય છે. - ઔચિત્યનો બોધ ઘણા ઓછા લોકોમાં જોવા મળે છે, એટલા માટે તેઓ યોગ્ય રીતે વંદન કરી શકતા નથી. અમારે ત્યાં તો સાધુ-સાધ્વીઓને વિનયનું શિક્ષણ આપવામાં આવે છે. શ્રમણ ભગવાન મહાવીરે પોતાની અંતિમ દેશનામાં સર્વ પ્રથમ "વિનય”નો જ ઉપદેશ આપ્યો હતો. "ઉત્તરાધ્યયનસૂત્રમાં પહેલો અધ્યાય ‘વિનય'નો આપવામાં આવ્યો છે. વિનયમાં વિવેક અને નમ્રતા હોવાં અતિ આવશ્યક છે. નમ્રતા વગર વિનય નહીં : નમ્રતા વિનયની આધારશિલા છે. નમ્રતા હશે તો જ વિનય કરી શકશો, અને વિનય જ બાકીના ગુણોનો આધાર છે. ભગવાન ઉમાસ્વાતીજીએ કહ્યું છે : विनयायत्ताश्च गुणाः सर्वे विनयश्च मार्दवायत्तः એટલા માટે મૃદુતા-નમ્રતા તમારા હૃદયમાં અવશ્ય જોઈએ. હ્દયની મૃદુતાકોમળતા પારિવારિક જીવનમાં પણ આવશ્યક છે. તમારું હૃદય મૃદુ-કોમળ હશે તો તમારામાં બીજાં માટે સહાનુભૂતિ રહેશે, બીજાં સાથે પ્રેમથી વાત ક૨શો, બીજાંની અવસરે પ્રશંસા પણ કરશો. નમ્રતા કહો, મૃદુતા કહો યા કોમળતા કહો, દરેક મનુષ્ય માટે તે આવશ્યક છે. દરેક મનુષ્ય ઇચ્છે છે કે તેની સાથે બધા નમ્રતાથી વાત કરે, મૃદુતાથી વ્યવહાર કરે, અને તેના મુખ ઉપર કોમળતા ઉપસી આવે. માતાપિતા અને વડીલોને આજે હું કહું છું કે તમે તમારો વ્યવહાર એવો રાખો કે સંતાનો સહજતાથી વિનય કરે. તમે તમારા વ્યક્તિત્વને એવું બનાવો કે તમારાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy