SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન : ૪૧ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી સ્વરચિત "ધર્મીબંદુ” ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનની દિનચર્યા બતાવી રહ્યા છે, શ્રાવકનાં દૈનિક કર્તવ્યો બતાવી રહ્યા છે. એ કર્તવ્યોમાં એક મુખ્ય કર્તવ્ય બતાવ્યું છેઃ શાસનોન્નતિરમ્ । એટલે કે જિનશાસનની ઉન્નતિ કરવી, જિનશાસન એટલે જિનવચન. પોતાના જીવનમાં જિનવચનોનું પાલન કરવું, જિનશાસનનું અનુસરણ કરવું, ઉચ્ચ કોટિના ભાવોથી પાલન કરવું. પાલન કરતાં કરતાં કોઈ વાર ઉત્કૃષ્ટ શુભ ભાવ આવી જાય, તો "તીર્થંકર નામકર્મ” બંધાઈ શકે છે. જે ઉત્કૃષ્ટ ભાવ ”તીર્થંકર નામકર્મ” બાંધવા માટે જોઈએ, એવા શુભ ભાવ કોઈક વાર જ આવી શકે છે. બધા જીવોને નથી આવતા. જેનો આત્મા ખૂબ ભારે કર્મોથી મુક્ત થાય છે અને વિશિષ્ટ યોગ્યતા-સંપન્ન થાય છે, એવો આત્મા જ તીર્થંક૨ નામકર્મ બાંધી શકે છે. મહત્ત્વપૂર્ણ વાત છે જીવનમાં જિનાજ્ઞાઓનું યથોચિત પાલન કરવાની. સૌથી પહેલી જિનાજ્ઞા, અહીં સમ્યગ્ ન્યાયપૂર્ણ વ્યવહારની વાત બતાવવામાં આવી છે. સમગ્ર જીવનવ્યવહારમાં પરિવર્તન ! કોઈ પણ જીવની સાથે અન્યાયપૂર્ણ વ્યવહાર કરવાનો જ નહીં ! જીવનમાંથી અન્યાયને દૂર ધકેલી દેવો. ભલેને ગમે તેવો ભૌતિક લાભ હોય-તેનું પ્રયોજન સામે આવે, લલચાવું નહીં. ઉચિત વિનય કરતા રહો : બીજી જિનાજ્ઞા છે વિનય કરવાની. ઉચિત વિનય રાખવાનો છે. આપણી પૂજ્ય વ્યક્તિઓનો વિનય કરવાનો છે. ઉચિત સમયે વિનય કરવાનો છે. જે જે વ્યક્તિઓના આપણી ઉ૫૨ નાના-મોટા ઉપકાર છે, જેઓ વિશિષ્ટ ગુણોના ધારક છે, જેઓ પરિવારમાં, સમાજમાં, દેશમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે, એ સર્વેનો વિનય કરવાનો છે. સર્વ પ્રથમ માતા અને પિતાનો વિનય કરવાનો છે. કારણ કે જીવનનો પ્રારંભ તેમનાથી થાય છે. તેમની પાસેથી પ્યાર મળે છે, સુખ અને સુવિધાઓ મળે છે. તેઓ બાળકોની તમામ જવાબદારી સંભાળે છે, શારીરિક અને માનસિક વિકાસ માતાપિતા ઉપર નિર્ભર હોય છે. માતાપિતા જે ખવડાવે-પિવડાવે છે તે જ બાળકો ખાય-પીએ છે. માતાપિતા જ બાળકોના વિચારો ઘડે છે. તેમના સ્વાસ્થ્યનો ખ્યાલ પણ માતાપિતા જ રાખે છે. બાળકોના શિક્ષણની વ્યવસ્થા પણ માતાપિતા જ કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy