SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૧૯૭ બાળકોને પણ ત્યાં જ ભણવા મોકલવાં છે. જો ઓરડા ન બંધાવીએ તો પટેલ વગેરે જ્ઞાતિઓ સાથે સંબંધો બગડી જાય છે. શું કરવું જોઈએ ? આપની પાસે એટલા માટે આવ્યો છું, આપ માર્ગદર્શન આપવાની કૃપા કરો. મેં કહ્યું: ‘તમે સંઘની મિટિંગ મારી હાજરીમાં બોલાવો. મિટિંગમાં હું જ માર્ગદર્શન આપીશ. જેને જે કંઈ પૂછવું હશે તે પૂછી શકશે. હું જવાબ આપીશ.' સંઘપ્રમુખે મિટિંગ બોલાવી. મેં કહ્યુંઃ ભગવાનની આજ્ઞા છે કે લોકવિરુદ્ધ કાર્યો ન કરવાં જોઈએ. જેનાથી બહુજનસમાજ નારાજ થાય એવાં કાર્યો ન કરવાં જોઈએ. તમે લોકો ગૃહસ્થ છો. તમારા બાળકોને વ્યાવહારિક શિક્ષણ આપવું અનિવાર્ય છે. હાઈસ્કૂલનું કામ પૂરા નગરનું કામ છે. તમારે નગરની સાથે રહેવું જોઈએ. જો તમે અલિપ્ત રહેશો અને નગરજનો ભેગા મળીને પ્રસ્તાવ પસાર કરશે કે “જેનસમાજનાં બાળકોને હાઈસ્કૂલમાં પ્રવેશ ન આપવો” ત્યારે તમે શું કરશો ? એટલા માટે ન્યાયપૂર્ણ વ્યવહારનું અનુસરણ કરો. જો તમે બે યા ચાર ઓરડા બંધાવી દેશો તો ધમવિરુદ્ધ કામ નથી. વધારે બંધાવશો તો જિનશાસનની શાન વધશે. ત્યાં જ બેને બદલે ચાર ઓરડા બંધાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. હાઈસ્કૂલના કાર્યકર્તાઓને જાણ કરવામાં આવી. તે લોકો ખૂબ પ્રસન્ન થયા. નગરમાં જનસંઘની પ્રશંસા થઈ. આ થયો જિનશાસનનો જય-જયકાર ! બૂમો પાડવાથી જય-જયકાર નથી થતો. ન્યાયપૂર્વક વ્યવહારમાર્ગનું અનુસરણ કરવાથી જય-જયકાર થાય છે. ધર્મના સિદ્ધાંતોને અનેકાન્ત વૃષ્ટિથી સમજવાની આવશ્યકતા છે. તમારી વૃષ્ટિને, સમજદારીને સમ્યગુ બનાવી દો અને જ્ઞાની પુરુષોનું માર્ગદર્શન લેતા રહો. જિનશાસનની ઉન્નતિ થતી રહેશે. આપણાં સૌનું કર્તવ્ય છે કે આપણે જિનશાસનની ઉન્નતિમાં આપણો યોગ-સહયોગ આપીએ. પારિવારિક જીવનમાં કેવો વ્યવહાર કરો છો ?? જે પ્રકારે બીજા લોકો સાથે બીજા સમાજો સાથે ન્યાયપૂર્વકનો વ્યવહાર કરવાનો છે એ રીતે તમારા ઘરમાં સ્વજનો સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર કરવાનો છે. મેં કેટલીય જગાએ જોયું છે કે સમાજમાં ન્યાય-અન્યાયની વાતો કરનારા, ન્યાય માગનારા લોકો પોતાના ઘરમાં સ્વજનો સાથે અન્યાય જ કરે છે – અન્યાયપૂર્ણ વ્યવહાર કરે છે. - એક ભાઈ સાથે વાત થઈ હતી. તે પોતાની માતાના ભક્ત હતા. માતૃભક્ત થવું સારું છે. પરંતુ પત્નીને અન્યાય કરવો ખોટું છે. તેઓ સદાય માતાના પક્ષમાં ન્યાય કરતા હતા. પત્ની મૌન રહેતી હતી. એ અન્યાય સહન કરતી રહેતી હતી. પરંતુ ક્યાં સુધી અન્યાય સહન કરતી રહે? પતિ પત્નીની એક પણ વાત સાંભળવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy