SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ શ્રાવકજીવન તૈયાર ન હતો. એક દિવસે પત્નીએ બળી મરીને આપઘાત કરી નાખ્યો. અન્યાયપૂર્ણ વ્યવહારનું આ દુષ્પરિણામ આવ્યું. આજુબાજુના અન્ય સમાજોમાં આ માતા-પુત્રની ઘોર નિંદા થઈ, જિનશાસનની મલિનતા દેખાઈ. – બીજી ઘટના સંભળાવું છું. બે ભાઈઓ સાથે રહેતા હતા. બે ભાઈઓની પત્નીઓ પણ આનંદથી સાથે રહેતી હતી. અચાનક નાના ભાઈનું મૃત્યુ થઈ ગયું. મૃત્યુ પછી કેટલાક દિવસો પછી નાના ભાઈની પત્ની સાથે દુર્વ્યવહાર શરૂ થયો. ચાર-છ મહિના પછી એ વિધવા સ્ત્રીને ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવી, ન આપ્યો એનો ભાગ. ન આપ્યા એના દાગીના કે ન આપી એની નાની બાળકી. બીજા મહોલ્લામાં એક નાનું માટીનું ઘર, એ વિધવાને આપવામાં આવ્યું. આખાય ગામમાં મોટા ભાઈ અને તેની પત્નીની ભયંકર નિંદા થવા લાગી. એ બંને જણાં દેરાસર જનાર હતાં; એટલા માટે ધર્મની પણ નિંદા થવા લાગી. સભામાંથી ઃ એ વિધવાનું શું થયું? મહારાજશ્રી તેણે અપૂર્વ સમતા રાખી. ન કદી જેઠની નિંદા કરી, ન જેઠાણીની. એ તો એક જ વાત કહેતી હતી : “મેંપૂર્વ જન્મમાં પાપ કર્યો હશે. સમતાથી ભોગવી લઈશ, તો આગામી જન્મોમાં આવાં દુઃખ નહીં આવે. વધારે પ્રમાણમાં તપશ્ચર્યામય જીવન વ્યતીત કર્યું અને યુવાવસ્થામાં જ મરી ગઈ. લોકોએ એનાં જેઠ-જેઠાણીની ઘોર નિંદા કરી. જૈનશાસનની શાન ના રહી. યાદ રાખો, તમારી ઉપર બેવડી જવાબદારી છે. તમારા આત્માની અને તમારા ધર્મની. આત્મા પાપકર્મોથી બંધાય નહીં અને તમારા નિમિત્તે ધર્મની નિંદા ન થાય. એ બે વાતોની સાવધાની રાખવાની છે. એવો એક પણ દુર્વ્યવહાર ન થવો જોઈએ કે જેથી જિનશાસનની નિંદા થાય. આનાથી વિપરીત ત્રીજી ઘટના સંભળાવું છું. આજકાલની સાચી ઘટનાઓ એટલા માટે બતાવું છું કે તમારા લોકોનાં દિમાગ સુધરે અને તમારો વ્યવહાર ન્યાયપૂર્ણ બને. રાજસ્થાનની આ વાત છે. સારા સંસ્કારી પરિવારની એક છોકરી હતી. એનાં લગ્ન એવા પુરુષ સાથે થયાં કે જેની પત્ની મરી ગઈ હતી. મૃત પત્નીનાં બે બાળકો હતાં. સગાંસંબંધી અંદર-અંદર વાતો કરતાં હતાં કે "બિચારાં ફૂલ જેવાં બે બાળકો દુઃખી થઈ જશે. તેમની સાવકી માતા ખૂબ દુઃખ આપશે. શું થાય? લગ્ન ન કરે તો બાળકોની સંભાળ કોણ રાખે ?” વગેરે વાતો થતી હતી. ઘરની આસપાસનાં માણસો બાળકોને પોતાને ઘેર બોલાવીને પૂછતાં હતાં : "તમારી મા સારું ખાવાનું આપે છે ને ? તમારી માં તમને મારતી તો નથી ને ? તમારી માં તમને સારાં કપડાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy