SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ શ્રાવકજીવન સિવાય.....' ડૉકટર હસ્યા અને બોલ્યા “જ્યારે તમે મને મકાન આપ્યું હતું ત્યારે એક પૈસો પણ લીધો ન હતો, પછી મકાન પરત કરતી વખતે મારે પૈસા ન લેવા જોઈએ, મારો ધર્મ મને આ શીખવે છે.” જ્યારે મકાન વેચાયું તો ૧૮ લાખ રૂપિયા મળ્યા. ડૉકટરે ઇચ્છર્યું હોત તો ૧૨ લાખ રૂપિયા પોતાને મળત અને ૬ લાખ રૂપિયા માલિકને ! મુંબઈ છે ને ! પરંતુ ડૉકટરનો વિચાર ન્યાયયુક્ત હતો. તેમના ન્યાયપૂર્વકના વ્યવહારથી તેઓ ખૂબ જ પ્રશંસા પામ્યા. આ થઈ જિનશાસનની ઉન્નતિ. ત્રીજી ઘટના છે મારી પોતાની. ગુજરાતના એક નાના શહેરમાં અમે રોકાયા હતા. એક દિવસ સ્થાનિક હાઈસ્કૂલના હેડમાસ્તર પોતાના ૫ સાથીશિક્ષકો સાથે મારી પાસે આવ્યા અને વિનયથી બોલ્યા : "અમારી વિનંતી છે કે આપ “ગીતા જયન્તી' પ્રસંગે અમારી સ્કૂલમાં પધારો અને ગીતા ઉપર પ્રવચન આપો.” મેં તેમની વિનંતી સહર્ષ સ્વીકારી લીધી અને હાઈસ્કૂલમાં ગયો. “ગીતા” ઉપર અનેકાન્ત દ્રષ્ટિથી પ્રવચન આપ્યું. ત્યાંના હેડમાસ્તરે ગીતા' લઈને એમ.એ. કર્યું હતું. તેઓ તો એટલા ખુશ થયા કે તે દિવસે રાત્રે તે મારી પાસે આવ્યા અને ગીતાના વિષયમાં મારાં દ્રષ્ટિબિંદુઓથી ખૂબ પ્રભાવિત થઈને ગયા. આખા ગામમાં જૈનધર્મની પ્રશંસા ફેલાઈ ગઈ." જૈન મુનિએ ગીતા ઉપર પ્રવચન આપ્યું. ગીતા ઉપર ઘણી વિચારણીય બાબતો બતાવી.” જૈનધર્મની, જૈનશાસનની ઉન્નતિ થઈ. ન્યાયપૂર્ણ વ્યવહારના પાલન માટે તમારી પાસે જ્ઞાનવૃષ્ટિ જોઈએ. ઉદાર અને ઉદાત્ત દ્રષ્ટિ જોઈએ. મૂળમાર્ગ અને અપવાદ માર્ગનું જ્ઞાન જોઈએ. જ્ઞાન નથી હોતું. તો કોઈ વાર વ્યવહારમાર્ગમાં ક્ષતિ થઈ જાય છે. આવી એક ઘટના મને યાદ આવે ગુજરાતના એક નાનકડા શહેરમાં અમારું ચાતુર્માસ હતું. એક દિવસ બપોરે સંઘના પ્રમુખ મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે - “આજે સવારે ગામના મુખ્ય નાગરિકોની મિટિંગ હતી. અત્યારે હાઈસ્કૂલનું જે મકાન છે તે નાનું પડતું જાય છે. બીજા આઠ નવા ઓરડા બાંધવાનો નિર્ણય થયો. નિર્ણય એ પ્રકારનો થયો કે બે ઓરડા જૈનસમાજ બંધાવે, બે ઓરડા બ્રાહ્મણસમાજ બંધાવે. બે પટેલ અને બાકીના અન્ય જ્ઞાતિઓ બંધાવે. મેં દુકાને આવીને આપણા સમાજના પ-૭ આગેવાનોને બોલાવીને યોજના બતાવી, તો એક ભાઈ બોલ્યા : "હાઈસ્કૂલમાં વ્યાવહારિક શિક્ષણ આપવામાં આવે છે, તે પાપશિક્ષણ છે. ત્યાં આપણે ઓરડા બંધાવી ન શકીએ.” અમે બધા વિચારમાં પડી ગયા, હવે કરવું શું? ગામમાં રહેવું છે. આપણાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy