SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૧૯૫ કહેશે જેને લોકો બેઈમાન હોય છે.” આગળ વધીને કહેશેઃ "શું જૈનધર્મ માત્ર ત્યાગ - તપશ્ચર્યાનો જ ધર્મ છે? ન્યાય-નીતિ અને ઈમાનદારીનો ઉપદેશ જૈનધર્મી નથી આપતો ?” સભામાંથી એવી વાતો તો થતી રહે છે. મહારાજશ્રી છતાં પણ તમે જોરજોરથી બોલી ઊઠો છો “વીને ગતિ શાસન ” સમજતા કશું નથી. માત્ર બોલતા રહો છો. તમારો વ્યવહાર ન્યાયપૂર્ણ હોવો જોઈએ. કોઈની સાથે અન્યાયપૂર્ણ વ્યવહાર ન કરવો જોઈએ. ન્યાય અને અન્યાયનો ભેદ કરવાની તમારામાં બુદ્ધિ હોવી જોઈએ. જો એવી બુદ્ધિ ન હોય તો બુદ્ધિમાન પુરુષોની સલાહ લેવી જોઈએ. કેટલાંક ઉદાહરણો દ્વારા આ વાત બતાવું છું. જિનશાસનની ઉન્નતિના કેટલાક ઉપાયો : એક શ્રાવકના ઘરમાં એક નોકર ૧૦-૧૫ વર્ષથી કામ કરતો હતો. નોકરનો પરિવાર હતો; પત્ની હતી, ત્રણ બાળકો હતાં. એક દિવસ અચાનક નોકરનું મૃત્યુ થઈ ગયું. શેઠની પાસે નોકરના ૫ હજાર રૂપિયા જમા હતા. નોકરની પત્ની યા બાળકોને આ વાતની ખબર ન હતી. શેઠ પણ જાણતા હતા કે નોકરની પત્નીને આ ખબર નથી કે તેમના ૫ હજાર રૂપિયા શેઠ પાસે જમા છે. શેઠ, નોકરના મૃત્યુ પછી બીજે જ દિવસે એને ઘેર ગયા અને નોકરની પત્નીને અને બાળકોને આશ્વાસન આપ્યું અને કહ્યું : "તમારા પાંચ હજાર રૂપિયા મારી પાસે હતા તે લઈને આવ્યો છે.” પાકીટમાંથી પાંચ હજાર રૂપિયા કાઢીને નોકરની પત્નીની સામે મૂકી દીધા! નોકરની પત્ની ભાવવિભોર થઈ ગઈ. શેઠના ચરણોમાં માથું મૂકીને કહ્યું : " શેઠસાહેબ, અમે જિંદગીભર તમારી જ નોકરી કરીશું. તમારો ઉપકાર કદીય નહીં ભૂલીએ.” સ્ત્રીએ આ વાત પોતાના સ્નેહી, સ્વજનોને કહી, તેમણે બીજા લોકોને કહી. શેઠની અને જૈનધર્મની પ્રશંસા થઈ. આ થઈ જિનશાસનની ઉન્નતિ. બીજી ઘટના છે એક જૈન ડૉકટરની. એક ભાડાના મકાનમાં ડૉકટરનું દવાખાનું હતું. અંદાજે ૪૦ વર્ષ સુધી ડૉકટર ત્યાં જ કાર્ય કરતા રહ્યા. ઉંમર ૭૦ વર્ષની થઈ ગઈ હતી. તેમણે દવાખાનું બંધ કરી દીધું; તે નિવૃત્ત થઈ ગયા. બે દિવસ પછી તેઓ મકાનમાલિક પાસે ગયા અને મકાનની ચાવી સોંપી દીધી કહ્યું: "દવાખાનું બંધ કરી દીધું છે એટલે મકાન આપને સોંપી દેવું જોઈએ.” મકાનમાલિક સ્તબ્ધ થઈ ગયો. તેણે કહ્યું : “પરંતુ આપે એક પૈસો લીધા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy