SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ શ્રાવકજીવન સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો, પરિણામ રૂપે એ લોકોએ ઘણી ખોટી પ્રવૃત્તિઓ છોડી દીધી હતી. જાણ્યા વગર કેવી રીતે છોડી શકો? જાણ્યા વગર સ્વીકાર પણ કેવી રીતે કરી શકો? એટલા માટે કહું છું કે પ્રતિદિન જિનવચન સાંભળતા રહો. જ્યાં જ્યાં સુચારુ રૂપે જિનવચનોનો અનુવાદ થતો હોય, જિનવચનોનું પ્રવચન થતું હોય, ત્યાં જઈને સાંભળતા રહો. તમે જિનવચનોને જાણશો અને તે અનુસાર જીવન બનાવશો, તો અવશ્ય દુનિયા જિનવચનોની પ્રશંસા કરશે ! આ છે જિનશાસનની ઉન્નતિ ! આ સૂત્રની ટીકામાં આચાર્યશ્રીએ સાત ઉપાયો બતાવ્યા છે જિનશાસનની ઉન્નતિ માટે. પહેલાં હું એ સાત ઉપાયોનાં નામ બતાવીશ. પછી એક-એક કરીને એ ઉપાયોને સ્પષ્ટતાથી સમજાવીશ. ૧. સમ્યક્ ન્યાયપૂર્ણ વ્યવહાર. ૨. લોકોનો યથોચિત વિનય.. ૩. દીન અને અનાથોનો ઉદ્ધાર. ૪. સુવિહિત સાધુપુરુષોને પુરસ્કાર. પ. પરિશુદ્ધ શીલપાલન. ૬. જિનમંદિરનું નિર્માણ અને ૭. વિવિધ મહોત્સવોનું આયોજન. આ સાત ઉપાયો છે. કેટલા સારા ઉપાયો છે ? ક્રમ પણ કેટલો ચડિયાતો છે ? જિનશાસનની ઉન્નતિ, જિનશાસનની પ્રભાવના - આવા ઉપાયોથી કરવી જોઈએ. સૌ પ્રથમ તો તમારે લોકોએ તમારો વ્યવહાર સુધારવો પડશે. સમ્યગૂ ન્યાયપૂર્ણ વ્યવહાર : લોકો સાથે તમારો વ્યવહાર ન્યાયપૂર્ણ હોવો જોઈએ. પૈસાની લેણદેણમાં, વસ્તુ લેવા-દેવામાં ખૂબ ન્યાયપૂર્વકનો વ્યવહાર કરવો જોઈએ. પરસ્પરના સંબંધોમાં પણ તમારો વ્યવહાર સુચારુ હોવો જોઈએ. વ્યવહારમાર્ગની ઉપેક્ષા નહીં કરવી જોઈએ. જો ઉપેક્ષા કરશો, અન્યાયપૂર્ણ વ્યવહાર કરશો, તો જિનશાસનની ઉન્નતિને બદલે અવનતિ કરનારા બનશો. જિનશાસનની નિંદામાં તમે નિમિત્ત બનશો. ' લોકો તમને “જૈન”, ”શ્રાવક”ના રૂપમાં જાણે છે, ઓળખે છે. તમારો અન્યાયપૂર્ણ વ્યવહાર ”જેન”નો, "શ્રાવક”નો અન્યાયપૂર્ણ વ્યવહાર બની જશે. દુનિયાના લોકો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy