SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ શ્રાવકજીવન મોટા ભાઈએ પ્રસન્નતાથી કહ્યું “જુદા રહેવાથી તું સુખી રહેતો હોય તો મને કોઈ વાંધો નથી. જ્યારે ઇચ્છે ત્યારે જુદો થઈ શકે છે. તમે જે ઘર પસંદ આવે તે લઈ લે, તને પસંદ આવે તે દુકાન લઈ લે ! સોનું, ચાંદી, ઝવેરાત, વાસણો - જે જોઈએ તે લઈ લે !” નાનો ભાઈ રડી પડ્યો! મોટા ભાઈએ તેને પોતાની છાતીએ લગાવીને કહ્યું “કેમ રડે છે? આ તો સંસારની નિયતિ છે. સાથે રહેવું અને છૂટા પડવું, એ તો સંસારનો અનાદિકાલીન ક્રમ છે. સહુ પોતપોતાના ભાગ્યને, કર્મોને આધીન છે. રડીશ નહીં. તું જુદો રહીશ એટલે મારો ભાઈ મટી નહીં જાય. મારો અને તારી ભાભીનો એટલો જ પ્રેમ રહેશે, જેટલો આજે છે.” રડતાં રડતાં નાનો ભાઈ બોલ્યો : "ના, ના. મારે તમારાથી અલગ નથી થવું. હું તમારી સાથે જ રહીશ. તમારા અને ભાભી વગર મારે માટે જીવવું અશક્ય છે.” નાના ભાઈની પત્ની આ વૃશ્ય જોઈ રહી હતી. બે ભાઈઓનો વાતલિાપ સાંભળી રહી હતી. આજે સૌ પ્રથમ તેણે મોટા ભાઈની અનાસક્તિનાં દર્શન કર્યા. પોતાના નાના ભાઈને સર્વસ્વ આપવા તેમની તૈયારી જોઈને તે દિંગ થઈ ગઈ. તેણે પોતાના પિતાના ઘરમાં નાની નાની વસ્તુઓ માટે પોતાના ભાઈઓને લડતા જોયા હતા, માતાપિતાને લડતા જોયાં હતાં અને અહીં જે જોઈ રહી હતી, સાંભળી રહી હતી તે તેની કલ્પના બહારનું હતું. પરિવાર વિભક્ત ન થયો, સંયુક્ત જ રહ્યો. જિનશાસનની ઉન્નતિ કરો : ગ્રંથકાર આગળ વધતાં કહે છેઃ “શાસનોનેતિવરણમ્' દશા જ્યારે તમારું જીવન શ્રાવકજીવન બનશે ત્યારે તમે જિનશાસનની ઉન્નતિ કરી શકશો. શ્રાવક-શ્રાવિકા જિનશાસનની ઉન્નતિ કરવામાં તત્પર હોય છે. તેઓ જિનશાસનને યથાર્થ રૂપે સમજે છે અને ઉન્નતિના ઉપાયો પણ જાણે છે. તમે લોકો "જિનશાસન”નો અર્થ જાણો છો ને ? સભામાંથી અમે તો “જિનશાસનની જય' બોલાવવાનું જાણીએ છીએ. વધારે કશું જાણતા નથી. મહારાજશ્રી એથી તો મોટો અનર્થ થઈ રહ્યો છે. મનમાન્યા અર્થ કરવાથી સંઘ અને સમાજને નુકસાન થઈ રહ્યું છે. "જિનશાસનનો અર્થ ટીકાકાર આચાદિવે બહુ જ માર્મિક બતાવ્યો છે. જિનશાસનમુત્ર નિવિદેશોભાવવિíવનમાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy