SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન : ૪૦ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત "ધર્મબંદુ" ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનનાં વ્રતોની સાથે સાથે દૈનિક ચર્ચા પણ બતાવી છે. એટલી સુંદર જીવનશૈલી બતાવી છે કે જો તમે એ પ્રકારે જીવવાનો પ્રયત્ન કરો તો અનેક આફતોમાંથી, ક્લેશોમાંથી બચી જશો. આ પ્રકારની જીવનપદ્ધતિનો સ્વીકા૨ ક૨વા માટે સર્વ પ્રથમ તો તમારે ગતાનુગતિકતા અને અનુકરણશીલતાનો ત્યાગ કરવો પડશે. જો કે આ ૨૦મી શતાબ્દીમાં પણ તમે "ધર્મબંદુ” નિર્દિષ્ટ જીવનપદ્ધતિથી જીવી શકો છો; કોઈ તકલીફની વાત નથી. જોઈએ શ્રાવકજીવન જીવવાની તમન્ના ! અર્થોપાર્જનમાં સંતોષ રાખવાની વાત કર્યા પછી ગ્રંથકારે ધર્મને જ ધન માનવાની માર્મિક વાત કરી છે. એટલે કે એક અસાધારણ બુદ્ધિમત્તાની વાત કરી છે. શ્રુતધર્મ અને ચારિત્રધર્મને ધન માનીને ચિત્ત સંતોષ પ્રાપ્ત કરવાની વાત ભૌતિક સંપત્તિની તીવ્ર સ્પૃહાથી ભરેલા તમારા ચિત્તમાં પ્રવેશી શકશે ખરી ? જો વાત તમારા મનમાં ઊતરી ગઈ તો સમજો કે જીવન સુધરી ગયું ! કારણ કે સંસારમાં સૌથી મોટું આકર્ષણ ધનસંપત્તિનું હોય છે. પ્રગાઢ મમત્વ અને તીવ્ર આસક્તિ હોય છે. જો મમત્વ છૂટી જાય તો ઘણા પ્રશ્નો ઉકલી જાય છે. ધનસંપત્તિ ભલેને સ્થાવર હોય યા જંગમ, એના ઉપ૨ની અધિકારની ભાવના, વધારેમાં વધારે પામવાની ભાવના ખતમ થઈ જવી જોઈએ. ત્યારે જીવનમાં મજા આવશે. જીવવાનો આનંદ અનાસક્તિમાં છે ઃ એક પરિચિત પરિવારની વાત છે. બે ભાઈઓનો સંયુક્ત પરિવાર હતો. માતાપિતા સ્વર્ગવાસી થઈ ગયાં હતાં. નાનો ભાઈ એ વખતે ૫-૬ વર્ષનો હશે. મોટા ભાઈ અને ભાભીએ પ્રેમથી એને મોટો કર્યો હતો, ભણાવ્યો હતો અને લગ્ન કરાવ્યાં હતાં. લગ્ન થયાં ત્યાં સુધી એ પરિવારમાં કોઈ ક્લેશ ન હતો, મતભેદ ન હતો. લગ્ન થયા પછી આંતરિક મતભેદ શરૂ થયા. નાના ભાઈની પત્નીનું દિલદિમાગ દ્રવ્યની આસક્તિથી-મમત્વથી ભરેલું હતું. તેણે પોતાના પતિને ધનસંપત્તિનું મૂલ્ય સમજાવ્યું ! પરસ્પરના પ્રેમનું અવમૂલ્યન કરતી રહી. કેટલાક મહિનાઓ સુધી તો નાનો ભાઈ પોતાના શુદ્ધ વિચારોમાં દૃઢ રહ્યો. પોતાના ભાઈ-ભાભી પ્રત્યે તેનો પ્રેમ અને વિશ્વાસ દૃઢ રહ્યો. પરંતુ પત્નીના હેમરીંગે” તેના વિચારોને વિકૃત બનાવી દીધા. એક દિવસે તેણે ખૂબ સંકોચપૂર્વક મોટા ભાઈને કહ્યું : "મારે જુદા રહેવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy