SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ શ્રાવકજીવન શ્રુતધર્મથી આવે છે. શ્રુતધર્મ વગર ચારિત્રધર્મ આ પ્રકારનું પરિવર્તન નથી લાવી શકતો, ધર્મે ધનવૃદ્ધિ: સામાન્ય વાત નથી, ઘણી અઘરી વાત છે. ધર્મના વિષયમાં ગહન જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર બુદ્ધિ નિર્મળ નથી બનતી અને ધર્મમાં આસક્ત નથી બનતી. જેમ જેમ તત્ત્વજ્ઞાન વધતું જશે, તત્ત્વચિંતન વધતું જશે, આત્મનિરીક્ષણ થતું જશે, તેમ તેમ ધનસંપત્તિની આસક્તિથી મન મુક્ત બનતું જશે. ધનનું અવમૂલ્યાંકન થશે, ધર્મનું મૂલ્યાંકન થશે. તમારા મનમાંથી ધનની મહત્તા સાફ થઈ જશે. ધનની મહત્તા જ્યારે મનમાં નહીં રહે ત્યારે સંતોષ આવી જશે અને ધર્મશીલતા આવી જશે. “ધર્મ જ સાચું ધન છે, ૫૨લોકમાં સાથે આવનારો છે,” આ વાત હૃદયમાં અંકિત થઈ જશે. ધનની મહત્તા જ મનમાં નહીં રહે ત્યારે હિંસા, જૂઠ, ચોરી વગેરે અનેક પાપોથી તમે મુક્ત થઈ જશો. ક્રોધ, અભિમાન અને માયાના પાપોથી પણ છૂટી શકશો. "ધર્મ જ ધન છે" આ વાત સ્વીકારી લેવાની છે, ત્યારે ધર્મપુરુષાર્થમાં અપાર ઉત્સાહ અને અપૂર્વ આનંદ ઉલ્લસિત થાય છે. શ્રાવકજીવનની ત્યારે સાર્થકતા પ્રતીત થાય છે. તમે લોકો એવી સાર્થકતા પ્રાપ્ત કરો. આજે, બસ આટલું જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy