SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ " ભાગ - ૨ ૧૮૯ હોય તો પણ એને અફ્સોસ નથી હોતો. તે ધર્મને જ ધન માને છે. તે પોતાની જાતને ધર્મ-ધનનો માલિક સમજે છે. તે કદીય કોઈની આગળ દીનતા નહીં બતાવે. તે કદી ધનવાનોની ઈષ નહીં કરે ! હા, આ મહત્ત્વપૂર્ણ વાત છે. ધર્મક્રિયા કરનારાઓ, જેઓ જ્ઞાની નથી હોતા તેઓ મોટે ભાગે ધનવાનોની નિંદા કરતા જણાય છે! ભલે ધનવાન લોકો ધર્મથી વિમુખ હોય છતાં તેમની નિંદા ન કરવી જોઈએ. સભામાંથી ધનવાન લોકો ધાર્મિક લોકોની નિંદા કરી શકે ? મહારાજશ્રી નિંદા ન કરવી જોઈએ, છતાં પણ ધાર્મિક લોકોએ નિંદા સાંભળીને નિંદકો પ્રત્યે રોષ ન કરવો જોઈએ. પરંતુ આત્મનિરીક્ષણ કરવું જોઈએ. ધાર્મિક લોકો આત્મનિરીક્ષણ કરે ? પોતાની ભૂલો શોધો અને એ ભૂલોને સુધારવાનો પ્રયત્ન કરો. ભલે ને સ્વયં ભૂલ કરનારા લોકો તમારી ભૂલોની આલોચના કરતા હોય, કરવા દો આલોચના. તમને આત્મનિરીક્ષણ કરવાનો અવસર મળે છે ને ? આત્મનિરીક્ષણ કરવું ખૂબ જરૂરી બની ગયું છે. ધર્મ કરનારા લોકો જ્યારે ધનની લાલસામાં, ધનની આસક્તિમાં ડૂબી જાય છે ત્યારે તેમનો વ્યવહાર અશુદ્ધ બની જાય છે. અશુદ્ધ આચારવાળો મનુષ્ય નિંદાને પાત્ર બની જાય છે ! જે લોકો ધર્મ કરતા નથી, તેમનો અશુદ્ધ વ્યવહાર જેટલો નિંદાપાત્ર હોય છે એનાથી વધારે નિંદાપાત્ર અશુદ્ધ વ્યવહાર ધાર્મિક વ્યક્તિનો હોય છે. ચોર તો ચોરી કરે જ છે. તે નિંદાપાત્ર હોય છે, પરંતુ ચોરીને રોકનાર પોલીસ ચોરી કરે છે, તો તે વધારે નિંદાપાત્ર બને છે. - ધર્મક્રિયા કરનારા તમે લોકો શું ધર્મને જ ધન માનીને ધર્મની આરાધના કરો છો ? ના ને ? તમે લોકો સમજો છો કે ધર્મ ધર્મને ઠેકાણે છે, ધન ધનને ઠેકાણે છે! આનાથી તમારી મનોવૃત્તિ ધાર્મિક નથી બની. ધન ઉપર જેટલો પ્રેમ છે તેટલો પ્રેમ ધર્મ ઉપર નથી. જો તમે શ્રાવક છો તો તમારું આકર્ષણ ધનથી વધારે ધમી પ્રત્યે હોવું જોઈએ. તમે ધનવાન હોવા છતાં પણ તમારા મનમાં વધારે મહત્ત્વ તો ધર્મનું જ હોવું જોઈએ. ધનનું અવમૂલ્યન, ધર્મનું મૂલ્યાંકન : તમારા મનમાં ધનનું મૂલ્યાંકન ન હોવું જોઈએ. શ્રાવકના મનમાં ધનની મહત્તા ન રહેવી જોઈએ. મહત્તા તો રહેવી જોઈએ ધર્મની. આ પ્રકારનું માનસિક પરિવર્તન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy