SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૧૮૭ સાદગીથી રહું છું. પત્ની અને બાળકોને પણ આ સંસ્કારો આપ્યા છે અને ધર્મઆરાધના શાન્તિથી થાય છે. હવે તું જ બતાવ કે મારે પ-૧૦ લાખ રૂપિયા શા માટે જોઈએ ? આ ઓરડામાં કોઈ તકલીફ નથી.” ધનવાન મિત્રે કહ્યું: "આટલા નાના ઓરડામાં તકલીફ તો થાય જ છે. તકલીફને તું માનતો નથી એ બીજી વાત છે.” સંતોષી મિત્રે કહ્યું : "એમ તો તને કેટલી મોટી તકલીફ છે? તારો ધંધો હું જાણું છું. કેટલો ભય અને કેટલી ચિંતાઓ ઊભી થતી રહે છે ? હું તો ધર્મને જ ધન માનું છું. સાચું ધન તો ધર્મ જ છે. ઠીક છે, પરિવારનું પાલન કરવું એ આપણી ફરજ છે. એટલા માટે અર્થોપાર્જન કરવું પડે છે. પરંતુ મને બે હજારમાં સંતોષ છે.” નિરર્થક ખર્ચ બંધ કરશો ? માત્ર મોજમજામાં કેટલો ખર્ચ થાય છે ? ખર્ચ વધારશો તો વધારે પૈસા કમાવા પડશે ! જેમ જેમ પૈસા વધશે તેમ તેમ ખર્ચ વધશે અને ખર્ચ વધશે તો પૈસા વધારે કમાવા પડશે. આ વિષચક્ર ચાલતું રહે છે. વ્યસનો પણ તમે લોકોએ કેટલાં વધારી દીધાં છે? પાન, સિગરેટ, માવો તો સામાન્ય બની ગયાં છે. હોટલમાં ખાવું એ ફેશન થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ધર્મ કયાંથી પસંદ આવે ? સર્વ ઇચ્છાઓની સિદ્ધિ ધર્મથીઃ "ધર્મબિંદુ” ગ્રંથના ટીકાકાર આચાર્યશ્રી કહે છે : ઘર્ષઃ સવામિનપિતાવિનંતિપૂન સર્વ ઇચ્છાઓની પરિપૂર્ણ સિદ્ધિનું મૂળ છે ધર્મ ? સમજ્યા? માનશો આ વાત? તમારી ઈચ્છાઓ સહજતાથી પૂર્ણ થાય, એવું તમે ઇચ્છો છો? તો તમારે ધર્મનું શરણું લેવું જ પડશે. ધર્મનું શરણું લેવું એટલે શ્રતધર્મી અને ચારિત્રધર્મનું શરણું લેવું પડશે. સૌ પ્રથમ શ્રુતધર્મનું શરણું લેવું જોઈએ. શ્રુત એટલે જ્ઞાન. જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે. જ્ઞાની પુરુષ પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે. એને માટે એવા જ્ઞાની પુરુષના સંપર્કમાં આવવું પડશે. જ્ઞાની અને ચારિત્રી પુરુષોનો સંપર્ક-પરિચય જ મહાન ઉપકારક બની શકશે. પરિચય પાતક-ઘાતક સાધુ શું ? સપુરુષોનો પરિચય માત્ર, મનુષ્યના પાતકો-પાપોનો નાશ કરનાર બને છે. અલબત્ત, પરિચય નિષ્કપટ યનો હોવો જોઈએ-નિર્મળ દયનો હોવો જોઈએ. દૃષ્ટિ ગુણગ્રાહી હોવી જોઈએ. ગુણગ્રાહી દૃષ્ટિથી, સદ્ગુરુનો વિનય કરતાં, એમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy