SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન : ૨૫ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત "ધર્મીબંદુ" ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થ જીવનનો વિશેષ ધર્મ બતાવ્યો છે. બાર વ્રતમય વિશેષ ધર્મ બતાવીને વિશેષ ધર્મનું પાલન કરનારાં શ્રાવક-શ્રાવિકાઓની દિનચર્યા કેવી હોઈ જોઈએ, એ વિષયમાં વિશદ - સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે. "સમાન ધાર્મિક લોકોની આસપાસ રહેવું જોઈએ અને એ સાધર્મિકોનું વાત્સલ્ય કરવું જોઈએ.” એટલું માર્ગદર્શન આપ્યા પછી તેઓશ્રી કહે છે ઃ ધર્મચિન્તયા સ્વપનમ્ । ધર્મભાવનાનું ચિંતન કરતાં કરતાં નિદ્રાધીન થવું જોઈએ. સૂતી વખતે ધર્મીચંતન કરવું ઃ જો તમે સૂતી વખતે શુભ ભાવનાઓમાં હશો તો તમારી સંપૂર્ણ રાત્રિ શુભ ભાવનાઓમાં વ્યતીત થશે. નિદ્રા પૂર્વે જે ભાવ હોય છે, એટલે કે જે ભાવની સાથે તમે નિદ્રાધીન થાઓ છો તે જ ભાવ નિદ્રામાં પણ રહે છે. ટીકાકાર આચાર્યશ્રીએ કહ્યું છે : शुभ भावना सुप्तो हि तावन्तं कालमवस्थितः शुभः परिणाम एव નમયતે । જો રાત્રિને શુભ બનાવવી હોય તો ધર્મચિંતન કરતાં કરતાં સૂવાની ટેવ પાડો; એનાથી અનેક લાભ થાય છે ઃ ૧. ખરાબ - અશુભ સ્વપ્ર નથી આવતાં. ૨. સતત પુણ્યબંધ થાય છે. ૩. નિદ્રામાં જ આયુષ્ય પૂર્ણ થઈ જાય તો સદ્ગતિ જ પ્રાપ્ત થાય છે. ૪. શાન્ત નિદ્રા આવે છે. પહેલો લાભ કેટલો મહત્ત્વપૂર્ણ છે ! કેટલાય લોકોને ખૂબ ખરાબ સ્વપ્ર આવે છે. તેઓ સ્વપ્રમાં રડે છે, ડરે છે, ખૂબ જ પરેશાન થાય છે. આવા લોકો જો શુભ ભાવનાઓ ભાવીને સૂઈ જાય તો આ હેરાનગતિથી મુક્ત થઈ જાય. બીજો લાભ તો મહાન છે જ. રાતભર શુભ - ધાર્મિક ભાવના ચાલતી રહે છે, એનાથી સતત પુણ્યકર્મનો બંધ થતો રહે છે. નિદ્રામાં પુણ્યકર્મનો બંધ ! પ્રયત્ન કર્યા વગર પુણ્યકર્મ ઉપાર્જન થાય છે ! ત્રીજો લાભ પણ અસાધારણ છે. કેટલાય લોકો નિદ્રામાં શ્વાસ તોડી દે છે. મરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy