SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૧૮૧ સંતોષથી પોતાની જીવનયાત્રા કરતો જાય છે. અનીતિ, અન્યાય, ચોરી, અસત્ય, બેઈમાની વગેરે શ્રાવકથી સો માઈલ દૂર રહેવા જોઈએ. શ્રાવકનો સંતોષ કેવો હોય ? શ્રાવકના વિચારો આ પ્રકારના હોય છે: "મારે શું જોઈએ? ભોજનમાં ગરમ ઘી ચોપડેલી રોટલી હોય, પહેરવા માટે અખંડ વસ્ત્ર હોય, બીજાનું દાસપણું ન હોય. બસ, મારે આનાથી વધારે કશું ન જોઈએ.” આ ગ્રંથના ટીકાકાર આચાર્યદિવે આટલું જ બતાવ્યું છે. હું વધારીને કહું છું: રહેવા માટે એક નાનકડું ઘર, પરિવારનું યોગક્ષેમ થઈ શકે તેટલી આવક હોવી જોઈએ. બાળકોનું શિક્ષણ, ઔષધોપચાર, લગ્નવ્યવહાર વગેરે સરળતાથી સંપન્ન થઈ શકે એટલી આવક હોવી જોઈએ. બરાબર છે ને? આનાથી વધારે ન જોઈએ ને ? સભામાંથી મારે વધારે ન જોઈએપરંતુ મારી પત્નીને વધારે જોઈએ. પત્નીને વધારે ન જોઈએ, પણ બાળકોને વધારે જોઈએ ! એનાથી ઘરમાં ક્લેશ થાય છે. ઘરમાં સૌના વિચારો સમાન નથી હોતા. મહારાજશ્રી સૌ પ્રથમ તમારો નિર્ણય હોવો જોઈએ કે “મારે સંતોષી બનવું છે. પૈસા પાછળ પાગલ બનવું નથી. તમારો નિર્ણય થયા પછી, જો તમે બુદ્ધિશાળી હો તો તમારી પત્નીને સંતોષી બનાવી શકશો. ધીરે ધીરે એને સમજાવવાનો પ્રયત્ન કરી શકો છો. કેટલાક ઘરોમાં તો મેં જોયું છે કે સ્ત્રી સંતોષી હોય છે. પુરુષને સંતોષ નથી હોતો. સ્ત્રી પોતાના પતિને કહે છે : "હવે તમે ધંધો છોડી દો, છોકરાઓને સોંપી દો દુકાન. આપણી પાસે ઘણા પૈસા છે. નિવૃત્તિ લઈ લો અને આપણે પાલીતાણા જઈએ. ગિરનાર વગેરે તીર્થોમાં જઈએ. હવે શાન્તિથી આત્મકલ્યાણ કરતા રહીએ. ઘરમાં પણ પોતપોતાની ધર્મ-આરાધના કરતા રહીશું. આખોય વ્યવહાર છોકરાઓ અને પુત્રવધૂઓને સોંપી દઈએ !” આવી વાતો પત્ની કરે છે ! પણ પતિદેવોને પસંદ આવતી નથી. કારણ કે સંતોષ નથી ! લાખો રૂપિયા પાસે હોવા છતાં પણ રાત-દિવસ દોડધામ કરતા જ રહે છે ! મેં એક પરિચિત ભાઈને કહ્યું "તમારી ઉંમર ૫૦ વર્ષની થઈ. હવે તમે રાત્રિભોજન ન કરો. સૂર્યાસ્ત પહેલાં બજારમાંથી ઘેર આવી જાઓ. તમે નોકર નથી, કોઈનીય ગુલામી નથી.” તેમણે કહ્યું: "આપની વાત સાચી છે, પરંતુ સંધ્યા સમયે એટલું બધું કામ રહે છે કે સૂર્યાસ્ત પહેલાં હું ઘેર પહોંચી જ નથી શકતો.” જો કે હું જાણું છું. તેમના બે પુત્રો ઑફિસમાં બેસે છે અને સારી રીતે કામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy