SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ (પ્રવચન : ૩૯) પરમ કૃપાનિધિ, મહાન કૃતઘર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત “ધમબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનનું વિશદવિવેચન કર્યું છે. જે કોઈ સ્ત્રીપુરુષને સમુચિત શ્રાવકજીવન જીવવું છે, તેને માટે આ ત્રીજો અધ્યાય માર્ગદર્શક બની શકે છે. બાર વ્રતોનું વર્ણન-વિવેચન તો બીજા અનેક ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. પરંતુ શ્રાવકની દિનચય અને ભાવાત્મક ભૂમિકા છે આ ગ્રંથમાં મળે છે તેવી બીજા કોઈ ગ્રંથમાં પ્રાયઃ મળતી નથી. તમે શ્રાવક છો, ગૃહસ્થ છો, બીજા ગૃહસ્થો સાથે તમારે વ્યવહાર કરવો પડે છે. ધાર્મિક ક્ષેત્રમાં, સામાજિક ક્ષેત્રમાં, રાજકીય ક્ષેત્રમાં તમારે કાર્યો કરવા પડે છે. એ સર્વ ક્ષેત્રોમાં તમારો વ્યવહાર શુદ્ધ રહેવો જોઈએ. કવ્યાંય પણ અનીતિ, અન્યાય અને બેઈમાની ન હોવી જોઈએ. પરંતુ શું આજે તમારા લોકોનો વ્યવહાર શુદ્ધ છે ? કેમ નથી ? શું તમે ગંભીરતાથી વિચાર કર્યો છે? ના, આ વિષયમાં તમે વિચાર કરતા જ નથી. ગ્રંથકાર આચાર્યદેવે કહ્યું છે : દવ્ય સંતોષપરતા ૬ ' ધનસંપત્તિમાં સંતોષી રહો ! જો સંતોષી નહીં રહો તો અસંતોષ વધતો જશે, અને તેથી અનેક અનર્થોમાં ફસાઈ જશો. પાપોનું મૂળ અસંતોષ : ધનસંપત્તિમાં જેને સંતોષ નથી થતો, તે કોઈ પણ ઉપાયથી ધન કમાવાનો પુરુષાર્થ કરતો રહે છે. ઉપાય સારો હોય કે ખોટો! ઉપાયનો વિવેક રહેશે જ નહીં. પ્રાયઃ દરેક વેપારમાં બેઈમાની થઈ ગઈ છે ને ? દરેક વેપારમાં અનીતિ અને મિલાવટ થઈ ગઈ છે ને? કેમ? માણસને લાખો કરોડો રૂપિયા કમાવા છે. દરેકને ધનવાન બનવું છે, એટલા માટે મનુષ્ય પાપ-પુણ્ય ભૂલી જાય છે - ભૂલતો રહ્યો છે. ધર્મ અને અધર્મનો ભેદ ભૂલતો જાય છે. સંતોષ છે જ નહીં. અસંતોષનો અગ્નિ ભભૂકી ઊઠ્યો છે તમારા લોકોના દિલ-દિમાગમાં. આવી મનઃસ્થિતિમાં અને અશુદ્ધ વ્યવહારમાં તમે શું શ્રાવક બનશો? એવા લોકો શ્રાવક બની જ શકતા નથી. માત્ર વ્રત ધારણ કરવાથી શ્રાવક નથી બનાતું. માત્ર મંદિરે જવાથી શ્રાવક નથી બની શકાતું. માત્ર ઉપદેશ સાંભળવાથી શ્રાવક નથી બની શકાતું. શ્રાવક સંતોષી હોય છે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy