SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૨ ૧૭૮ છે. જો આ પુરુષાર્થો ઉપર ધર્મનો રંગ નથી ચડતો તો વ્યવહાર અશુદ્ધ જ બની રહેશે. વ્યવહા૨ શુદ્ધ કરવો હોય તો ધર્મને જીવનમાં જીવવાનો પ્રયત્ન કરતા રહો. ધર્મ એ ક૨વાની-આચરવાની વાત નથી, જીવવાની વાત છે ! તમે લોકો તો કેટલીક ધર્મક્રિયાઓ કરીને સંતોષ પામો છો ! ધર્મને જીવતા નથી. ઘરમાં ધર્મ નથી રહ્યો, બજારમાં ધર્મ નથી રહ્યો, એટલા માટે ધર્મની પ્રધાનતા નથી રહી ! ધર્મપ્રધાનો વ્યવહાર: જોઈએ. એવું કહેવાનું તાત્પર્ય આ જ છે કે વ્યવહારમાં ધર્મની ઝલક આવવી જોઈએ. ત્યાર પછી જ વ્યવહારશુદ્ધિ આવશે. ગ્રંથકારે પ્રથમ અધ્યાયમાં વ્યવહારશુદ્ઘિની એક-એક વાત અતિ સ્પષ્ટતા કરીને બતાવી છે. સભામાંથી : વર્તમાન વિષમ કાળમાં શું વ્યવહારશુદ્ધિ સંભવિત છે ? મહારાજશ્રી : વ્યક્તિગત રૂપે સંભવિત છે, સમષ્ટિગત રીતે સંભવિત ન પણ હોય ! સભામાંથી : વ્યક્તિ સમષ્ટિનું અભિન્ન અંગ છે ને ? :: મહારાજશ્રી : છે, છતાં પણ વ્યક્તિ એ વ્યક્તિ છે અને સમષ્ટિ એ સમષ્ટિ છે ! વ્યક્તિ સ્વયં સ્વતંત્ર છે. અલબત્ત, એનામાં નૈતિક હિંમત હોવી જોઈએ. સિદ્ધાન્તનિષ્ઠ થવા માટે, આદર્શોને જીવનમાં જીવવા માટે દૃઢ મનોબળ હોવું જોઈએ. આવા માણસો આ વર્તમાન કાળમાં પણ છે ! હું એવા મહાનુભાવોને જાણું છું. તમે કહેશો કે એવા માણસો લાખોમાં એક-બે હશે ! તો હું કહીશ કે તમે એવા બનો તો ત્રણની સંખ્યા બની જશે ! એ રીતે એક-એક વધતા જશે તો સંખ્યા કેટલી વધી શકે ? તમે લોકો વ્યવહારશુદ્ધિ, ધર્મપ્રધાન વ્યવહાર કેમ નથી કરી શકતા તેનું કારણ જાણો છો ખરા ? તેનું મૂળ કારણ છે ઃ ધનધાન્યાદિમાં અસંતોષ ! અસંતોષની આગ તમારા લોકોના દિલમાં સળગી રહી છે. દિમાગમાં સળગી રહી છે. આ વિષયમાં આગળ ઉપર વિવેચન કરીશ. આજે, બસ આટલું જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy