SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૧૭૭ - આપણી જનનેન્દ્રિયથી મૈથુન-સેવન કરવું કામપુરુષાર્થ છે. સ્ત્રીપુરુષની સંભોગની સર્વ ક્રિયાઓ કામપુરુષાર્થમાં સમાવિષ્ટ છે. આ કામપુરુષાર્થને ધર્મપુરુષાર્થમાં બદલી દેવાની દ્રષ્ટિ હોવી જોઈએ. જો જ્ઞાનવૃષ્ટિ હોય તો કર્મબંધનની જગાએ કર્મનિર્જરા થઈ શકે છે. સભામાંથી એ કેવી રીતે સંભવ બને? મહારાજશ્રી સાંભળો ધ્યાનથી, સમજાવું છું. - કાનોથી શબ્દ શ્રવણ કરતી વખતે "મારે શું સાંભળવું જોઈએ અને મારે શું ન સાંભળવું જોઈએ.” એ વાતનો વિવેક હોવો જોઈએ. મારે કોઈના દોષોની નિંદા નથી સાંભળવી. બીજાના ગુણોની પ્રશંસા સાંભળવી છે. મારે જિનેશ્વર ભગવાનનાં વચનો સાંભળવાં છે. સાંભળવું એ કામપુરુષાર્થ છે, પરંતુ જિનવચન સાંભળવા ધર્મપુરુષાર્થ બની જાય છે. સાંભળવું કામપુરુષાર્થ છે, પરંતુ બીજાંના ગુણાનુવાદ કરવા એ ધર્મપુરુષાર્થ છે ! - આંખોથી જોવું તે કામપુરુષાર્થ છે. પરંતુ જે શુભ છે, તેને જેવું એ ધર્મપુરુષાર્થ છે. જિનમંદિર, જિનમૂર્તિ, સદ્ગુરુ, સાધર્મિક વગેરેને શુભ ભાવથી જોવા એ ધર્મપુરુષાર્થ છે. કોઈ પણ વસ્તુ યા વ્યક્તિને જો તમે જ્ઞાનવૃષ્ટિથી જોતા હો તો તે ધર્મપુરુષાર્થ બની જાય છે! હનુમાનજીએ સંધ્યા સમયે આકાશમાં વાદળોની રમણીય રચનાને જોઈ હતી ને? એમણે જોયું એ કામપુરુષાર્થ છે. એ મહત્ત્વનું નથી, એને કઈ દ્રષ્ટિથી એમણે જોયું હતું એ મહત્ત્વપૂર્ણ છે. જોવાથી વિરક્તિનો ભાવ પેદા થયો હતો. દુનિયાની આસક્તિ તૂટી ગઈ હતી ! ત્યાંથી તેમની મુક્તિયાત્રાનો પ્રારંભ શરૂ થયો હતો. વાદળો તો આપણે પણ જોઈએ છીએ ને ! કદી એ જોઈને જીવનની ક્ષણભંગુરતાનો વિચાર આવ્યો? કદી જીવનની વાસ્તવિકતાનું ચિંતન કર્યું? ના, કારણ કે આપણે જોઈએ છીએ જરૂર, પરંતુ જોતાં આવડતું નથી. તત્ત્વદ્રષ્ટિથી જોતાં આવડતું નથી ! જો તત્તવૃષ્ટિ ખૂલી જાય તો પછી ગમે તે જુઓ ને! તમે કર્મબંધ નહીં કરો. કર્મનિર્જરા જ થતી રહેશે. કુરૂપ સ્ત્રીને જુઓ યા રૂપવતી સ્ત્રીને જુઓ, તમારા દર્શનમાં કોઈ ફેર પડવાનો નથી! નિધનને જુઓ યા ધનવાનને જુઓ, તમારું દર્શન સમ્યગુ જ હશે. સમ્ય દર્શન ધર્મપુરુષાર્થ જ કરાવે છે. - એ રીતે ગંધ ગ્રહણ કરવી એ કામપુરુષાર્થ છે, પરંતુ દુર્ગધ આવતાં અણગમો ન કરવો અને સુગંધ આવતાં રાગ ન કરવો - એ ધર્મપુરુષાર્થ છે. આ વાત મનુષ્યના પોતાના માટે છે, પરંતુ પરમાત્માના મંદિરમાં સુગંધી ધૂપ કરવામાં આનંદ આવે છે. પરમાત્માનો જાપ-ધ્યાન કરતી વખતે સુગંધી વાતાવરણ પસંદ કરીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy