SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭પ ભાગ - ૨ હતી? આટલી વાર કેમ લગાડી ?” અક્કડ છોકરીએ જવાબ આપ્યો : "હું ગમે ત્યાં જાઉં મને પૂછવાની જરૂર નથી.” એમ કહી તે પોતાના રૂમમાં ચાલી ગઈ. કહો, પોતાની છોકરીને પણ પૂછી શકતા નથી કે કયાં ગઈ હતી ! અને અમે રાતના ૧૦ વાગ્યા સુધી ચિંતા કરતા રહ્યા ! છોકરીને વિચાર ન આવ્યો કે હું મોડું કરીને જઈશ તો મારાં માતાપિતાને ચિંતા થશે, અશાંતિ થશે. એણે ઇચ્છયું હોત તો ક્યાંકથી ફોન પણ કરી શકત.”, એ ભાઈની વાત આજે ઘરઘરની વાત બની ગઈ છે. કોઈ કોઈની શાન્તિનો વિચાર જ નથી કરતું, છતાં એકબીજાનો મોહ રહે છે. એ આશ્ચર્યની વાત નથી? પત્ની પતિને અશાંત કરે છે, છતાં પતિનો મોહ છૂટતો નથી! પતિ પત્નીને અશાંત કરે છે, છતાં પત્નીની આસક્તિ છૂટતી નથી છોકરાઓ માતાપિતાને અશાંત કરતા રહે છે, છતાંય માતાપિતાનો મોહ છૂટતો નથી. વહુ સાસુને અશાંત કરે છે, છતાં સાસુનો મોહ ઓછો થતો નથી. વિરક્તિ-વૈરાગ્ય આવતો નથી. ઉચિત સમયમાં સર્વ કાર્યો કરવા જોઈએ. ઉચિત વેળાએ મંદિરે જતા રહો. ઉચિત વેળાએ સાધુ-સમાગમ કર્યા કરો. ઉચિત વેળાએ ઘેર આવ્યા કરો. ઉચિત વેળાએ દુકાને જતા રહો. ઉચિત વેળામાં પોતાનાં કર્તવ્યોનું પાલન કરો. આવું કરવાથી તમારું શ્રાવકજીવન યશસ્વી અને નિરુપદ્રવી બનશે. હા, ઉચિત સમયે જો તમે કાર્ય નહીં કરો તો કષ્ટ-આપત્તિ આવી પડશે. પછી ત્યાં કર્મનો દોષ ન કાઢતા. કર્મનો દોષ જોતા રહેશો તો તમારો પુરુષાર્થ પ્રયત્ન સુધરશે નહીં, તમે તમારા પ્રયત્નનું સંશોધન કરો. મનુષ્યજીવનમાં પુરુષાર્થ પ્રધાન છેઃ પુરુષાર્થમાં સંશોધન કરવાને બદલે આપણે કર્મનો દોષ કાઢતા રહીએ છીએ. એટલા માટે આપણો પુરુષાર્થ સુધરતો નથી. કર્મના સિદ્ધાંતને આપણે લોકોએ એકાંત રૂપથી પકડી લીધો છે. જે કંઈ બને છે અને ભવિષ્યમાં થશે, એ બધું કર્મથી જ થશે' - એવું આપણે માની લીધું છે. એનાથી કેટલું ભયંકર પરિણામ આવે છે, એ શું તમે વિચારી શકો છો? સૌથી વધારે ખરાબ પરિણામ આવ્યું છે નિષ્ક્રિયતાનું. આપણા પુરુષાર્થમાં નવીનતા નથી આવતી, તેજસ્વિતા નથી આવતી. બે-ચાર વાર પુરુષાર્થ નિષ્ફળ જવાથી આપણે પુરુષાર્થ છોડી દઈએ છીએ. એવું માનીને કે "આપણા ભાગ્યમાં (કર્મમાં) સિદ્ધિ છે જ નહીં.” આપણે આપણી હાર માની લઈએ છીએ. તીર્થકર ભગવંતોએ મનુષ્યજીવનમાં પુરુષાર્થને જ સર્વોપરિ બતાવ્યો છે. કહ્યું છેઃ પુરુષાર્થારાધનાનો / પુરુષાર્થની આરાધના કરવાનો આ મનુષ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy