SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ શ્રાવકજીવન આચાર્યદવ કહે છે: “તયા ગામનY“દીર્ઘકૃષ્ટિથી આ વાત કહેવામાં આવી છે. અર્થપુરુષાર્થ અને કામ પુરુષાર્થ ગૃહસ્થજીવન સાથે જોડાયેલા પુરુષાર્થો છે. એ પુરુષાર્થોની ઉપેક્ષા કરવાની નથી. આ વિષયમાં પહેલા અધ્યાયના પ્રવચનમાં મેં વિસ્તારપૂર્વક સમજાવ્યું છે. મનુષ્યનું જીવન સાપેક્ષ છે? ભલે મનુષ્ય ગૃહસ્થ હોય યા સાધુ હોય, તેનું જીવન બીજા મનુષ્યો સાથે જોડાયેલું છે. જીવનમાં બીજાંની અપેક્ષા રહે જ છે. કોઈ ને કોઈ રૂપમાં અપેક્ષા રહે છે. આ અપેક્ષાઓ મુખ્ય રૂપથી ત્રણ પ્રકારની હોય છેઅર્થની અપેક્ષા, કામની અપેક્ષા અને ધર્મની અપેક્ષા. કોઈ આપણી અપેક્ષાઓ પૂર્ણ કરે, આપણે બીજાંની અપેક્ષાઓ પૂર્ણ કરીએ, આ સંસારનો વ્યવહાર છે. અર્થ અને કામની અપેક્ષાઓ પર અંકુશ રાખનારું તત્ત્વ ધર્મ છે. પરંતુ આ ત્રણે પુરુષાર્થ પરસ્પર બાધક ન બનવા જોઈએ. જો તમે મંદિરમાંથી યા ઉપાશ્રયમાંથી ઘેર ન પહોંચી શકો તો અર્થપુરુષાર્થ તથા કામપુરુષાર્થમાં વિખ ઊભું થાય છે. અર્થપુરુષાર્થ બગડે છે, કામપુરુષાર્થ પણ બગડે છે ! એનાથી તમારા મનમાં અને પરિવારના લોકોના મનમાં અશાંતિ, અસંતોષ વગેરે દોષ પેદા થાય છે. ધર્મધ્યાન નથી રહેતું, તત્ત્વચિંતન નથી થતું. એટલા માટે દરેક કાર્ય ઉચિત સમયે કરતા રહો. બીજાંની શાન્તિનો વિચાર કરો : - એક વાત ભૂલવાની નથી કે તમારા પરિવારમાં અશાંતિ હશે તો તમે પણ અશાંત બનશો. એ રીતે તમે તમારી શાન્તિ ચાહતા હો તો તમારે પરિવારની શાન્તિનો પણ ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. પરિવારની શાન્તિનો વિચાર કર્યો સિવાય તમે શાન્તિ નહીં મેળવી શકો. એ રીતે પરિવારના દરેક સભ્ય વિચાર કરવો જોઈએ. “મારા નિમિત્તે ઘરમાં અશાંતિ કોઈનેય ન થવી જોઈએ.” આ વિચાર છે ઘરના દરેક માણસને આવે તો ઘરમાં કોઈ પણ પ્રકારની અશાંતિ ન રહી શકે. સભામાંથી ઘરના લોકો બીજાંની શાન્તિ-અશાંતિનો વિચાર જ કરતા નથી. સૌ પોતપોતાના તાનમાં ગુલતાન......! મહારાજશ્રી : એક ભાઈએ હમણાં જ ચાર-પાંચ દિવસ પૂર્વે મને કહ્યું હતું : "મહારાજ સાહેબ, કાલે રાત્રે અગિયાર વાગ્યા સુધી ઘોર અશાંતિ રહી. છોકરી સાંજના પાંચ વાગે ઘરથી ગઈ હતી. દરરોજ સાંજે સાત-આઠ વાગે ઘેર આવી જતી હતી. કાલે રાત્રે ૧૦ વાગ્યા સુધી ન આવી. ૧૦-૧૨ જગાએ ફોન કર્યા, કોઈ પત્તો ન લાગ્યો. છોકરીની માતા રડવા લાગી. છોકરાઓ અહીંતહીં શોધવા લાગ્યા. અગિયાર વાગે તે જાતે જ આવી ગઈ. તેની માતાએ પૂછ્યું : "ક્યાં ગઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy