SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૧૭૩ પાછા ઉપાશ્રયે આવવાનું હોય છે ! એવું નહીં કે અગિયાર વાગે ભિક્ષા લેવા માટે જાય અને બે-ત્રણ વાગ્યા સુધી ભિક્ષા માટે ઘેરઘેર ભટકતો રહે! અડધા કલાકમાં યા એક કલાકમાં તેને ભિક્ષા લઈને પાછા આવી જવું પડે છે. કોઈ વાર બે-ત્રણ કિલોમીટર દૂર ભિક્ષા માટે જવાનું હોય તો ગુરુને કહીને જવું પડે છે. એ રીતે તમારે લોકોએ કોઈ વાર મંદિર યા ઉપાશ્રયમાં કામ માટે વધારે સમય રોકાવાનું હોય તો ઘરમાં કહીને જવું જોઈએ. જો તમે ધાર્મિક હો છતાં પણ ઘરમાં અપ્રિય હો તો તમારે આત્મનિરીક્ષણ કરવું જોઈએ. ધાર્મિક માણસ જનપ્રિય જ હોવો જોઈએ. જનપ્રિયતા ધાર્મિક મનુષ્યનું એક લક્ષણ છે. તમારામાં જો સાચી ધાર્મિકતા હશે તો તમે જનપ્રિય હશો જ ! પરંતુ જો ધાર્મિકતા નહીં હોય દ્ધયમાં. તો તમે જનપ્રિય ન પણ હોઈ શકો. તમારા ઘરમાં સૌને પ્રિય બની રહો એ અત્યંત આવશ્યક વાત છે. અનિયમિતતાથી અપ્રિયતા : અપ્રિય બનવાનાં અનેક કારણો હોય છે, તેમાંનું એક કારણ છે અનિયમિતતા. અનિયમિતતા કહો, ઉપેક્ષા કહો, લાપરવાહી કહો એક જ વાત છે. પોતાનાં કર્તવ્યો પ્રત્યે ઉપેક્ષા કરવાવાળો મનુષ્ય અપ્રિય બને છે. ૫૦ વર્ષ પૂર્વેની વાત છે. મુંબઈમાં એક ડૉકટર હતા. એ સમયે પરદેશ જઈને C.R.C.S.ની ડિગ્રી લીધી હતી. એ સમયે મુંબઈમાં આવી ડિગ્રીવાળા ડૉકટરો થોડાક જ હતા. પ્રેક્ટિસ સારી જામી ગઈ હતી. પરંતુ ધીમેધીમે ડૉકટર પોતાના દરદીઓ પ્રત્યે બેપરવાહી કરવા લાગ્યા. તમે ડૉકટરને સવારે ૯ વાગે ફોન કરો કે "પેશન્ટની સ્થિતિ ગંભીર છે, આપ જલદી પધારો.” ડૉકટર કહેતા હતા "હાલ જ આવ્યો.” અને આવતા હતા અગિયાર વાગે. ધીમેધીમે તેઓ અપ્રિય બનવા લાગ્યા અને પ્રેક્ટિસ તૂટી ગઈ. ગુજરાતના એક શહેરમાં એક વકીલ હતા. વકીલાત સારી કરતા હતા. પરંતુ તેમને વકીલાત કરતાં પણ વધારે રૂચિ તત્ત્વચર્ચામાં રહેતી હતી. તેઓ ઉપાશ્રય આવતા, ત્યાં કોઈ મુનિરાજ સાથે તત્ત્વચર્ચા કરવા બેસી જતા તો તેમને સમયનું ભાન ન રહેતું. અસીલ તેમની ઑફિસમાં બેસી રહેતા, થાકીને ચાલ્યા જતા અને બીજા વકીલને પોતાનો કેસ સોંપી દેતા હતા. વકીલની વકીલાત તૂટી ગઈ. અત્યંત દરિદ્ર-અવસ્થામાં આવી ગયા હતા. તેમનું એક પુણ્યકર્મ સારું હતું, તેમની પત્ની શાન્ત, સુશીલ અને સહનશીલ હતી! અન્યથા એવા લોકોની ખૂબ ખરાબ હાલત થાય છે. ધર્મક્ષેત્રના લોકોને તેમનાં વ્યાવહારિક, સાંસારિક કર્તવ્યો પ્રતિ જાગ્રત કરતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy