SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ શ્રાવકજીવન કેમ લગાડી ? હું તમારી કેટલી રાહ જોઉં ? મારે ઘરનાં કેટલાં કામ કરવાનાં છે ? સમયસર ઘેર આવતા રહો.” માની લો કે તમને ગુસ્સો આવ્યો અને તમે ન બોલવાનાં વાકયો બોલી નાખ્યાં. તો શું થશે? ઝઘડો ! લડાઈ ! ભોજન કરવું દૂર રહી જશે અને જોશ વધી જશે. તમે કહેશો "મેં મોડું કર્યું તે સાચી વાત છે, પરંતુ મંદિર-ઉપાશ્રયમાં મોડું થયું છે ને ? બીજી જગાએ તો ગયો નથી ને ? તો પછી પત્નીએ ઝઘડો ન કરવો જોઈએ ને ?" વાત નિયમિતતાની છે. નિશ્ચિત સમયની છે. તમે ક્યાં મોડું કર્યું એ પ્રશ્ન નથી. તમે મોડું કરી દીધું. એથી તમારી પત્નીના ગૃહકાર્યમાં વિક્ષેપ પડ્યો. બીજાં ગૃહકાર્યો બગડે છે, એ પ્રશ્ન છે. તમે મોડું કરીને આવો છો, તો રસોડાનું કાર્ય સમાપ્ત નથી થતું. વાસણ સાફ કરવાવાળો પોતાના સમયે આવીને ચાલ્યો જાય છે, પછી તમારી પત્નીને જાતે વાસણો માંજવાં પડે છે વગેરે અસગવડો પેદા થાય છે. એટલા માટે ક્લેશ ઉત્પન્ન થાય છે. તમે સમયમાં નિયમિત ન રહેતા હો તો બીજાંને પણ અનિયમિત બનાવી દો છો. બીજાંના સ્વભાવને પણ બગાડો છો. સોક્રેટીસની પત્ની ઝઘડાળુ કેમ બની હતી ? ગ્રીસ દેશનો તત્ત્વચિંતક સોક્રેટીસ આખા વિશ્વમાં 'તત્ત્વચિંતક'ના રૂપમાં પ્રસિદ્ધ થઈ ગયો. જેવી રીતે તે તત્ત્વચિંતક, તત્ત્વબોધક હતો. એ રીતે તે ઘરમાં બેપરવા હતો. કદી પણ સમયસર ઘેર પહોંચતો ન હતો. એટલે તેની પત્ની નારાજ થતી હતી. ગુસ્સો કરતી હતી. ઝઘડો કરતી હતી. જો સોક્રેટીસ અનિયમિત ન હોત તો તેની પત્ની સંભવ છે કે ગુસ્સાવાળી ન બનત. લોકોએ સોક્રેટીસની ક્ષમાસમતાની પ્રશંસા કરી, પરંતુ તેની અનિયમિતતાની નિંદા કરી નથી! તેની પત્નીની નિંદા કરી, પરંતુ પત્નીના ગુસ્સામાં નિમિત્તભૂત સોક્રેટીસની નિંદા કરી નથી ! તમારા લોકોના ઘરોમાં મોટે ભાગે અનિયમિતતાને લીધે ઝઘડા થાય છે ! - પતિ નિયમિત ઘેર આવતો નથી તો ઝઘડો થાય છે. - છોકરા-છોકરીઓ સ્કૂલમાંથી સમયસર આવતાં નથી તો ઝઘડો થાય છે. - નોકર સમયસર નથી આવતો તો ઝઘડો થાય છે ! ખાસ કરીને તમારે લોકોએ મંદિરમાંથી યા ઉપાશ્રયમાંથી ઘેર નિયમિત જવું જોઈએ, નહીંતર ભૂલ તમે લોકો કરશો અને નિંદા અજ્ઞાની લોકો મંદિર અને સાધુઓની કરશે. ઘરના લોકો બીજા લોકો સામે તમારી નિંદા આ રીતે કર્યો કરશે : ”અમારા એ મંદિરમાં બે-ત્રણ કલાક રહે છે. સાધુઓ પાસે બે-ત્રણ કલાક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy