SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન : ૩૮ બાર પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત "ધર્મીબંદુ' ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનનો વિશિષ્ટ ધર્મ બતાવ્યો છે. વ્રતોનું વિવરણ કર્યા પછી શ્રાવકની દૈનિક જીવનચર્યા બતાવવામાં આવી છે. તમે જીવનચર્યાની વાતો સાંભળી રહ્યા છો, તમે અનુભવ કરી રહ્યા હશો કે હજાર વર્ષ પૂર્વે બતાવેલી આ વાતો આજે પણ એટલી જ ઉપયોગી અને ઉપયુક્ત છે. આ વાતો કદી પુરાણી થતી નથી કે અર્થહીન થતી નથી. આપણે આ વાતોને વર્તમાન દેશકાળના સંદર્ભમાં સમજવા પ્રયત્ન કરવો જોઇએ. સમયજ્ઞ આચાર્યદેવે શ્રાવકજીવનની સર્વાંગીણ ઉન્નતિનું લક્ષ્ય રાખીને માર્ગદર્શન આપ્યું છે. તેઓ કહે છે ઃ उचितवेलयाऽऽ गमनम् ||६३ || જિનમંદિર સંબંધિત અને સાધુ-સંબંધિત કર્તવ્યોનું પાલન કરવાનો ઉપદેશ આપ્યા પછી તેઓ શ્રાવકને ગૃહવિષયક અને વ્યાપારવિષયક કર્તવ્ય યાદ કરાવતાં કહે છે ઃ “ઉચિત સમય પર ઘેર પહોંચી જાઓ. ઉચિત સમયે દુકાન યા ઑફિસે પહોંચી જાઓ.” સમયની પાબંદી સમો : મંદિરે જવું છે. દર્શન, પૂજન, સ્તવન ઇત્યાદિ આરાધના કરવી છે. મંદિરસંબંધી કાર્ય પણ (જે તમારે ક૨વાનાં હોય છે) કરવાનાં છે. પણ ઘેર ક્યારે પહોંચવાનું છે એ પણ યાદ રાખવાનું છે, ભૂલવાનું નથી. દુકાને ચારે પહોંચવાનું છે એ યાદ રાખવાનું છે, ભૂલવાનું નથી. ગુરુજનો પાસે જવાનું છે, તેમનાં દર્શન-વંદન, સેવા વગેરે કરવાનાં છે. પરંતુ ઘેર-દુકાને પહોંચવાનો સમય ભૂલવાનો નથી. સમયની પાબંદી સમજો અને દરેક કર્તવ્યનું સમુચિત પાલન કરો. આમ કરવાથી તમે યશસ્વી બનશો અને તમારી કાર્યદક્ષતા વધશે, અને જો તમે સમયની પાબંદી નહીં સમજતા હશો તો તમે અનેક અનર્થોના ભાગીદાર બનશો, અનેક ક્લેશોના નિમિત્ત બનશો. નિમિત્ત કેવી રીતે બનશો તે બતાવું છું. અનિયમિતતાથી ઘરમાં ક્લેશ ઃ તમે મંદિરે અથવા ઉપાશ્રયે ગયા છો. તમારે ૧૧ વાગે ઘેર પહોંચવાનું છે અને ભોજન કરવાનું છે. તમે ૧૧ વાગે નથી પહોંચતા, ૧૨ વાગે પહોંચો છો. તમારી ની અગર માતા તમને ઘેર પહોંચ્યા પછી ધૂંધવાઈને પૂછે છે : "આટલી વાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy