SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ શ્રાવકજીવન રહેવાની ઇચ્છા થતી નથી. મનુષ્ય પોતાના ઘરમાં પણ બીમારીનો ખ્યાલ રાખવાનો હોય છે. જો પુરુષ બીમાર પત્નીની ઉપેક્ષા કરે છે અથવા પત્ની બીમાર પતિની ઉપેક્ષા કરે છે તો પરસ્પર મનદુઃખ થઈ જાય છે, સંબંધ બગડી જાય છે. બીમારની ઉપેક્ષા ન કરો : બીમારની ઉપેક્ષા કરવાથી બીમારનું મન આર્તધ્યાન (પાપવિચાર) કરતું રહે છે. નિરાશા એને ઘેરી લે છે. અને જો તમે એની સેવા કરતા હો, પૂરો ખ્યાલ રાખીને કરતા હો તો બીમારને શાન્તિ મળે છે; સમાધિ મળે છે. બીમારને શાન્તિ-સમતા આપવી એ શ્રેષ્ઠ ધર્મ છે. શ્રેષ્ઠ સુકન્ય છે. જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે "સો કામ છોડીને સૌ પ્રથમ બીમારની સેવા કરો.” સેવા કરતી વખતે ખ્યાલ કરવાનો કે સેવાના કામમાં કોઈ કામ અધૂરું તો નથી રહ્યું ને ? જો અધૂરું રહ્યું હોય તો રાત્રે ઊઠીને પણ કાર્ય પૂરું કરી લેવું જોઈએ. કોઈ વાર સાધુ-સાધ્વીની બીમારી લાંબો સમય સુધી ચાલે છે. એ સમયે સેવા કિરવામાં થાકી જવું ન જોઈએ, દુભવિ ન આવવો જોઈએ. સેવાકાર્યમાં વિલંબ ન થવો જોઈએ. બીમારની સાથે દુર્વ્યવહાર ન કરવો જોઈએ. એના મનને દુઃખ ન પહોંચાડવું જોઈએ. તેની સાથે પ્રિય શબ્દોથી વાત કરો અને ઉચિત સમયે સેવા કરતા રહો. વૃદ્ધ, અંધ અને અપંગ પ્રત્યેક જેવી રીતે બીમાર પ્રત્યે કર્તવ્યોનો ખ્યાલ રાખવાનો છે. એ રીતે વૃદ્ધ પુરુષો પ્રત્યે પણ કર્તવ્યો નભાવવાનાં છે. જે વૃદ્ધ સ્ત્રીપુરુષ સ્વયં પોતાનાં કાર્યો નથી કરી શકતાં, તેમનાં કાર્યોને સારી રીતે કરવાં જોઈએ. એમના મનને સંતોષ થાય એ રીતે કરવાં જોઈએ. એક કામ કર્યું, બીજું ન કર્યું, પછી બે કાર્યો કર્યા, પછી તેમને મોટું પણ ન બતાવ્યું, એ રીતે ન કરવાં જોઈએ. તેમનો હાથ પકડીને ઊભા કરો, હાથ પકડીને બેસાડો ય ખરા. તેમને પ્રેમથી ભોજન કરાવો, અને ભોજન પછી થાળી પણ ઉપાડી લો ! તેમને સ્નાન કરાવો, વસ્ત્રપરિવર્તન પણ કરાવો. તેમને દવા આપવાની હોય તો દવા પણ આપો, અનુપાન આપવાનું હોય તો એ અનુપાન પણ આપ્યા કરો. સભામાંથી સેવા તો અમે અમારાં માતાપિતાની પણ કરી નથી. મહારાજશ્રી છતાં પણ માતાપિતાને ઘરમાં તો રાખ્યાં હશે ને? તમને તમારાં બાળકો કદાચ ઘરમાં પણ નહીં રાખે ! વૃદ્ધાશ્રમમાં મોકલી દેશે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy