SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ ભાગ - ૨ સભામાંથી ઘર કરતાં વૃદ્ધાશ્રમ સારો હશે ! મહારાજશ્રી ટ્રાયલ ઉપર જઈને વૃદ્ધાશ્રમ જોઈ આવો! ત્યાં રોટી, કપડાં અને મકાન મળે છે. પરંતુ સ્નેહ, સહાનુભૂતિ, પ્રશંસા નથી મળતાં. મનુષ્યને રોટી, કપડાં અને મકાન મળી જવા માત્રથી સંતોષ નથી થતો. જીવનનો અર્થ રોટી, કપડાં અને મકાન નથી. મનુષ્યને જો ભરપૂર સ્નેહ મળતો હશે અને રોટી ઓછી મળતી હશે, તો તે દુઃખી નહીં થાય. જો મનુષ્યને સમય-સમય પર સહાનુભૂતિ મળતી હોય અને જોઈએ તેવાં કપડાં નહીં મળતાં હોય તો તે દુઃખી નહીં થાય - દુઃખ નહીં માને. મનુષ્યને જો પ્રશંસાના બે શબ્દો મળતા હોય અને સારું મકાન ન મળતું હોય તો તે દુઃખ નહીં માને. વૃદ્ધાશ્રમોમાં સમયસર ભોજન મળે છે પરંતુ સ્નેહ કયાંથી મળશે? વૃદ્ધાશ્રમમાં કપડાં મળે છે પરંતુ સમય-સમય પર સહાનુભૂતિ કોણ આપશે? વૃદ્ધાશ્રમોમાં સારું મકાન, પલંગ, ગાદી મળી જાય છે, પરંતુ પ્રશંસાનાં પુષ્પ ક્યાંથી મળી શકશે ? એટલા માટે વૃદ્ધાશ્રમમાં રહેવા છતાં લોકોને ઘર યાદ આવે છે, પરિવાર યાદ આવે છે, ત્યારે બિચારાં એકલાં એકલાં રડે છે ! વૃદ્ધાવસ્થા જ એવી છે. એ અવસ્થામાં સ્નેહ, સહાનુભૂતિ અને પ્રશંસાની ભૂખ વધી જાય છે. અપેક્ષા વધી જાય છે. એમને તમે આ ત્રણે વાતો આપ્યા કરો. એમાં પૈસા આપવા પડતા નથી. તેમાં કોઈ શારીરિક શ્રમ પણ પડતો નથી. વાત એક જ છે ... તમારા દયમાં વૃદ્ધ પુરુષોને શાન્તિ-સમતા અને સંતોષ આપવાની વાત જીવંત રહેવી જોઈએ. એ વાત સમજો કે એક દિવસે તમારે પણ વૃદ્ધ થવાનું છે, જો તમારું આયુષ્ય દીર્ઘકાલીન હોય તો ! વૃદ્ધ સાધુ-સાધ્વીની સેવાભક્તિ ખૂબ વિનય અને બહુમાનપૂર્વક કરવી જોઈએ. જિનશાસનની વ્યવસ્થા તો એ છે કે જે સમુદાયમાં વૃદ્ધ સાધુ-સાધ્વી હોય તો એ સમુદાયના આચાર્ય જ તેમની દેખભાળ રાખે. તેમની સેવાનો પ્રબંધ કરે. શ્રાવકશ્રાવિકાઓ પોતાની મર્યાદામાં રહીને સેવાભક્તિમાં સહભાગી બને. જો તમારા ગામમાં વૃદ્ધ સાધુ-સાધ્વી રહ્યાં હોય, તમારા મહોલ્લામાં યા ગલીમાં વૃદ્ધ સાધુ-સાધ્વી રહ્યાં હોય તો તમે પ્રતિદિન તેમની સેવાભક્તિ કરી શકો છો. તેમની સેવાભક્તિ કરવામાં સાધુજીવનના કેટલાક નિયમોનું પાલન ન પણ થઈ શકે, તો પણ તમે જિનાજ્ઞાના વિરાધક નથી બનતા. ગ્લાન, વૃદ્ધ, બાળ સાધુ-સાધ્વી તે માટે સાધુજીવનના નિયમોમાં અનેક અપવાદો બતાવવામાં આવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy