SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૧૧ અને પૂજન પ્રતિદિન કરવું જોઈએ. જો તેમનું સ્મરણ ર્દયમાં નિરંતર ચાલતું હશે તો તેમનાં દર્શન-પૂજનની ભાવના સહજતાથી થશે. પરમાત્માનું સ્મરણ દ્ધયમાં ત્યારે જ આવે કે જ્યારે પરમાત્મા પ્રત્યે પ્રીતિ હોય. કેટલાક જીવોને પૂર્વજન્મના સંસ્કારોને લીધે પરમાત્મા પ્રત્યે સહજતાથી પ્રેમ હોય છે, તો કેટલાક જીવોને પ્રેમ બાંધવો પડે છે. પ્રેમનો નવો સંબંધ બાંધવો પડે છે. પ્રેમ થઈ ગયો કે સ્મરણ થાય જ. સ્મરણ થતું રહેશે તો દર્શનની ઈચ્છા જાગતી રહેશે. દર્શનની સાથે સ્પર્શનની ઈચ્છા જાગૃત થશે જ. સ્પર્શનનો અર્થ છે પૂજન. તમારું પૂજન વિધિપૂર્વક અને ભાવપૂર્વક થશે. પ્રથમ કામ કરો પરમાત્મા સાથે પ્રેમ કરવાનું. ઉપસંહાર : સાધમિકો સાથે રહેવાથી આ તમામ વાતો સરળતાથી બની શકે છે. તમારી આસપાસ રહેનારાઓ દરરોજ ઊઠતાંની સાથે જ મંદિરે જાય છે, તો તમે પણ મંદિર જશો. એ લોકો પ્રતિદિન પૂજા કરે છે, તો તમે પણ પૂજા કરવા જશો. અથવા તમે દરરોજ મંદિર જતા હો, દર્શન-પૂજન કરતા હો તો તમને જોઈને તમારી આજુબાજુના લોકો મંદિર જવા માંડશે. તમે જો સાધર્મિકોની ભાવથી ભક્તિ કરતા હશો તો તે લોકો પણ કરશે. તમે દીન-દુઃખી લોકોને વસ્ત્ર-ભોજન વગેરે આપતા હશો તો તેઓ પણ આપવા લાગશે. જો તમે સાધર્મિકોની આપત્તિમાં સહયોગી બનશો, આપત્તિ દૂર કરવામાં સહાયક બનશો તો તે સાધર્મિકો પણ બીજાના દુઃખમાં સહયોગી બનવાની પ્રેરણા પામશે. તમારે "સાધર્મિક વાત્સલ્યના ધર્મમાં આલંબન બનવાનું છે. બનશોને? તમે લોકો મારી પાસે આવો છો, ધર્મનો ઉપદેશ સાંભળો છો, ધર્મતત્ત્વ સમજો છો, તો તમારે બીજા લોકો માટે આલંબનરૂપ બનવું જ જોઈએ. જે લોકો પ્રમાદને કારણે યા અન્ય કારણોથી ધર્મગુરુઓ પાસે જઈ શકતા નથી, સધર્મની વાતો સાંભળી શકતા નથી, જેઓ સ્વાર્થમાં અટવાઈ પડ્યા છે, તે સર્વેના તમારે સહયોગી બનવાનું છે. સમજી લેવું કે સાધર્મિક ભક્તિ એ પરમાત્માની ભક્તિ છે, કારણ કે પરમાત્માના શાસનને વહન કરનાર સાધર્મિક છે. પરમાત્માની જય પોકારનાર સાધર્મિક છે. સમય આવતાં ધર્મની રક્ષા માટે પ્રાણ આપનાર-પ્રાણની આહુતિ આપનાર સાધર્મિક છે. એટલા માટે ગ્રંથકાર મહર્ષિ કહે છે : સાધર્મિકો પ્રત્યે મૈત્રીભાવ રાખવો. અવસર પ્રમાણે તેમનો આદર-સત્કાર કરવો. અહિંસક અને દયાપ્રધાન સમાજની સાથે રહેવાથી પારિવારિક સુરક્ષા પણ થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy