SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ શ્રાવકજીવન નથી કરતાને? સભામાંથી ખૂબ કરીએ છીએ. દ્વેષ કરીએ છીએ, ઝઘડીએ છીએ. મહારાજશ્રી ઃ તો પછી સાધર્મિક વાત્સલ્યનો ધર્મ તમે નથી કરી શકતા. જે કષાય-નિગ્રહ નથી કરી શકતો તે સાધર્મિક મૈત્રી પણ નથી કરી શકતો. મૈત્રી વગર વાત્સલ્ય ન હોઈ શકે. સાધર્મિક વાત્સલ્યમાં વિવેક આવશ્યક એક વાત યાદ રાખો કે જેમ ઉપવાસ વગેરે તપશ્ચર્યા કરવી એ ધર્મ છે એવી રીતે સાધર્મિક વાત્સલ્ય પણ ધર્મ છે - એક વિશિષ્ટ ધર્મક્રિયા છે. પરંતુ આજકાલ તમે લોકો સાધમિક વાત્સલ્યને જમણવાર સમજવા લાગ્યા છો. “સ્વામિવાત્સલ્ય” કહો કે “સાધર્મિક વાત્સલ્ય' કહો – એક જ છે. સાધર્મિક વાત્સલ્યની ક્રિયા મોટે ભાગે તમામ જૈનસંઘોમાં થાય છે, પરંતુ ભાવના મૃતપ્રાયઃ થઈ ગઈ છે. વિવેક તો રહ્યો જ નથી. હું તમને કેટલાક સવાલો પૂછું છું; જવાબ આપો? ૧. શું તમે સ્વામિવાત્સલ્યને દિવસે જિનપૂજા કરો છો ? ૨. શું એ દિવસે તમે બ્રહ્મચર્યનું પાલન કરો છો? ૩. શું તે દિવસે તમે ગુરુસેવા કરો છો ? ૪. શું એ દિવસે દુઃખી જીવો માટે અનુકંપા-દાન આપો છો ? ૫. શું સ્વામિવાત્સલ્યમાં ભોજન કરતી વખતે મૌન રાખો છો ? ૬. ખાતાં ખાતાં બોલતા તો નથીને ? ૭. કોઈની સાથે ઝઘડો તો નથી કરતાને? ૮. એંઠું તો નથી મૂકતાને ? - જો તમે આ આઠ વાતોનું પાલન કરતા હશો તો તમારું સાધર્મિક વાત્સલ્ય શ્રેષ્ઠ પ્રકારનું કહી શકાશે. – ઓછામાં ઓછી ત્રણ વાતોનું પાલન કરતા હશો તો તમારું સાધર્મિક વાત્સલ્ય ઠીક-ઠીક કહી શકાશે. – અને ત્રણથી વધારે, પણ આઠથી ઓછી વાતોનું પાલન કરતા હશો તો તમારું સાધર્મિક વાત્સલ્ય મધ્યમ પ્રકારનું કહી શકાશે. તમે વિચારો. સાધર્મિકોની સેવાભક્તિ મૈત્રીભાવથી કરવી. જિનેન્દ્રપૂજા : જિનશાસનનું ચોથું સારભૂત તત્ત્વ છે જિનેન્દ્રપૂ. જિનેશ્વર ભગવંતોનું દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy