SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શ્રાવકજીવન ૨. સાધુની પાસે જઈને "આજે શ્રાવક-શ્રાવિકાઓ બગડી ગયાં છે, વ્યસની થઈ ગયાં છે વગેરે વાતો કરે છે; સાધુ-સાધ્વીઓના હૃદયમાં શ્રાવક-શ્રાવિકાઓ પ્રત્યે દુર્ભાવ પેદા કરે છે ! આવું થતાં પરસ્પરનો પ્રેમ તૂટતો જાય છે અને અવિશ્વાસ વધતો જાય છે. એટલા માટે તમારે સાવધાન રહેવાનું છે. અમારે લોકોએ પણ સાવધ રહેવાનું છે. જે લોકો શ્રાવક આચારનું અલ્પ પણ પાલન નથી કરતા, તે લોકો છાપાઓમાં સાધુઓની નિંદા કરે છે ! તેઓ પોતાના દોષગ્રસ્ત જીવનનો વિચાર પણ કરતા નથી, જીવનને દોષમુક્ત ક૨વાની તો વાત જ નહીં." એવા “લેખકો”થી સાવધાન રહેવું. તેઓ ઉટપટાંગ લખતા રહે છે ! એવા શ્રમદ્વેષી લોકોની વાતો વાંચવી પણ ન જોઈએ. ગુણવૃષ્ટિવાળા થઈને રહો, બીજાઓમાં રહેલા ગુણો પણ જોતા રહો. ત્યાગી, તપસ્વી અને જ્ઞાની-ધ્યાની સાધુપુરુષોની સેવાભક્તિ કરતા રહો. કોઈ વાર કોઈ ભૂલ જોવામાં આવે તો વિનય અને નમ્રતાથી એકાંતમાં બતાવતા રહો. પૂજ્ય પુરુષોની અવજ્ઞા કદી ન કરો. સાધુ-સાધ્વીઓ અને શ્રાવક-શ્રાવિકાઓને પરસ્પર પૂરક બનવાનું છે. વિઘટક બનવાનું નથી. મોક્ષમાર્ગની આરાધનામાં એકબીજાને સહાયક બનવાનું છે. કર્તવ્યપાલનમાં જાગ્રત થાઓ. બીમાર, બાળ, વૃદ્ધ અધ્યયનશીલ અને પ્રાથૂર્ણક સાધુ-સાધ્વી પ્રત્યે જે કર્તવ્યો છે તે કર્તવ્યોનું પાલન કરવા માટે પ્રયત્નશીલ રહો. પૂજ્ય પુરુષો પ્રત્યે પૂજ્યભાવ અખંડ રાખીને સેવાભક્તિ કરતા રહેશો તો બે ફળની પ્રાપ્તિ થશે - ગુણપ્રાપ્તિ અને પુણ્યપ્રાપ્તિ. તમે આ બંને ફળો પ્રાપ્ત કરનારા બનો એ જ મંગલ કામના. આજે, બસ આટલું જ. Jain Education International ★ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy