SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન : ૩૭ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી સ્વરચિત "ધર્મબિંદુ" ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકની દિનચર્યા બતાવતાં કહે છે કે શ્રાવક પ્રતિદિન ઉપાશ્રયમાં જાય, ત્યાં રહેલા સાધુસમુદાયનો ખ્યાલ કરે. કોઈ બીમા૨ સાધુ હોય, કોઈ બાળ મુનિ હોય, કોઈ વૃદ્ધ સાધુ હોય, તે સર્વેની યથોચિત સેવા કરે. ઔષધ, અન્ન, પાણી, વસ્ત્ર, પુસ્તક વગેરે જે જરૂરી હોય તે લાવી આપે. આ વિષયમાં ગ્રંથકાર આચાર્યશ્રીએ વિશેષ રૂપે કહ્યું : ધૃતાકૃતપ્રત્યુપેક્ષા । રા ખૂબ જ સુંદર વાત કરી છે. કાર્ય કરવાની સમુચિત પદ્ધતિ પ્રસ્તુત કરી દીધી છે. "શું કર્યું, શું ન કર્યું" તે વિચારો : ભલે મંદિરનું કામ હોય કે ઉપાશ્રયનું. કાર્ય થઈ ગયા પછી વિચારવું જોઈએ ઃ ”મેં કયું કાર્ય કર્યું અને કયું ન કર્યું.” આ વિચારવાથી ખબર પડી જાય છે કે કયું કાર્ય નથી થયું. જે કાર્ય તમે ન કરી શક્યા હો, કરવું આવશ્યક છે, તો તમે બીજી વ્યક્તિને કહીને પણ એ કાર્ય કરાવી શકો છો. કોઈ વાર આળસમાં, કોઈ વાર ઉતાવળમાં, તો કોઈ વાર શારીરિક અશક્તિને કારણે, પૈસાના અભાવે કોઈ કાર્ય ન પણ થઈ શકે; ભાવના હોવા છતાં પણ કાર્ય ન થઈ શકે, કાર્યની ઉપેક્ષા પણ થાય છે. જેમ કે : – આ કાર્ય તો પૂજારીનું છે, પૂજારી કરશે. આ કાર્ય ટ્રસ્ટી લોકોનું છે, તેઓ ક૨શે. આ કાર્ય તો નોકરોનું છે, તેઓ કરશે. મારે આજે જલદી બજારમાં જવું છે. મુનિરાજોનું કાર્ય નહીં કરી શકું, બીજા લોકો ક૨શે. મારે આજે ઘરમાં ઘણું કામ છે. મારે આજે બહારગામ જવું છે. કોઈ વાર આ વાતો સાચી હોય છે, તો કોઈક વાર સાચી નથી પણ હોતી. એને લીધે કાર્ય બગડે છે અને માણસની કાર્યદક્ષતામાં ક્ષતિ આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy