SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ બનાવી દે છે ત્યારે બીજાની સહાયતા અપેક્ષિત બની જાય છે. કાન સાંભળતા ન હોય, અથવા ઓછું સાંભળતા હોય. આંખો જોઈ શકતી ન હોય, અથવા ઓછું દેખતી હોય. ચાલવામાં પગ લંગડાતા હોય. પોતાનાં કાર્યો કરી ન શકતા હોય. આવી પરિસ્થિતિમાં વૃદ્ધ સાધુઓનાં તન-મન, સંયમ સાચવવાનાં હોય છે ! સભામાંથી ઃ આ કર્તવ્ય તો સાધુપુરુષોનું હોય છે ને ? મહારાજશ્રી : હા, આ કર્તવ્યનું પાલન તો સાધુપુરુષોનું હોય છે. પરંતુ ગૃહસ્થ શ્રાવકોનું ય છે. સાધુપુરુષોને સહાયક થવાનું હોય છે. કોઈ વાર વૃદ્ધ સાધુની પાસે સહાયક યુવક સાધુ ન હોય, બંને વૃદ્ધ હોય, તેમનાં શરીર કાર્યક્ષમ ન હોય, સ્વાસ્થ્ય સારું ન હોય એવી સ્થિતિમાં તમારે એમની સેવા કરવી જોઈએ. એમની પાસે બેસીને એમની સુખશાતા પૂછવી જોઈએ. તેમને ઔષધ, વસ્ત્ર વગેરેની જરૂર હોય તો લાવી આપવાં જોઈએ. તેમની સાથે ખૂબ જ સહાનુભૂતિપૂર્વક વ્યવહાર કરવો જોઈએ. --- ― ૧૫૩ સભામાંથી : કેટલાક વૃદ્ધ સાધુપુરુષો ખૂબ ગુસ્સો કરે છે. મહારાજશ્રી : એ ગુસ્સો અલ્પકાલીન હોય છે, ક્ષણિક હોય છે. ક્ષણિક ક્રોધ ક્ષમ્ય ગણવો જોઈએ. ક્રોધની સામે અરુચિ યા અભાવ ન હોવો જોઈએ. જો તમે એમની સેવા કરશો તો તેઓ તમારી ઉપર ગુસ્સો નહીં કરે. સાધુઓની સેવાનું કર્તવ્ય વિશેષ રૂપે તો સાધુઓનું હોય છે. છતાં પણ તમારે લોકોએ વૃદ્ધ સાધુઓનો ખ્યાલ રાખવાનો છે. તેમને સહાય કરવાની છે. એ કરવાથી એ સાધુઓના મનનું સમાધાન થાય છે. જ્ઞાનોઘત સાધુઓની સેવા : જેવી રીતે વૃદ્ધ, બાળ અને બીમાર સાધુઓની યથોચિત સેવાનું લક્ષ્ય રાખવાનું છે, એ જ રીતે અધ્યયનશીલ સાધુઓનું પણ ધ્યાન રાખવાનું છે. જો તમારા ઘરની નજીકમાં ઉપાશ્રય હોય અને ઉપાશ્રયમાં સાધુપુરુષ રહેતા હોય - ખાસ અધ્યયન માટે રહેતા હોય તો તમે એમનું ધ્યાન રાખશો. તેમને શું જોઈએ તે પૂછતા રહેવું, તેમને પુસ્તક વગેરે જેની જરૂર હોય તે આપવું. આજના યુગમાં પ્રાચીન સમય જેટલી મુશ્કેલીઓ તો નથી હોતી. આજના જમાનામાં "જ્ઞાનખાતું" મોટે ભાગે જૈન સંઘો પાસે હોય છે. જ્ઞાનખાતાના દ્રવ્યરાશિનો ઉપયોગ સાધુપુરુષના અધ્યયનકાર્યમાં થઈ શકે છે. ભણાવનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy