SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ શ્રાવકજીવન ગુરુદેવનું છે. કોઈ વાર જે પ્રિય ન લાગવું જોઈએ તે પ્રિય લાગે છે, અને જે પ્રિય લાગવું જોઈએ તે અપ્રિય લાગે છે ! એટલા માટે બાળ મુનિઓના ગુરુ મનોવિજ્ઞાનના જ્ઞાતા હોવા જોઈએ. બાળ મુનિઓને મનોવૈજ્ઞાનિક પદ્ધતિએ જ શિક્ષણ આપવું પડે છે. સારાને સારું મનાવવું અને ખરાબને ખરાબ મનાવવું એ સરળ કામ નથી! તમને લોકોને મનાવવા મુશ્કેલ છે, તો પછી બાળકોને મનાવવાં એ સરળ હોઈ શકે ખરું ? એક મહત્ત્વની વાત કહું છું, ધ્યાનથી સાંભળો. જે વ્રત-નિયમ યુવક અને પ્રૌઢ સાધુઓ માટે હોય છે, તે બધા નિયમો બાળ મુનિ અને વૃદ્ધ મુનિ માટે હોતા નથી. તેમને માટે વિશેષ અપવાદ હોય છે. ગુરુજનો એ અપવાદ જાણતા હોય છે, એટલા માટે કોઈ બાળ મુનિ કોઈ નિયમનું પાલન ન કરતો હોય તો તમારે એની નિંદા ન કરવી. મહાવ્રત સર્વનાં સમાન હોવા છતાં પણ તીર્થકર ભગવંતોએ વયઅવસ્થાની દ્રષ્ટિથી અપવાદ પણ બતાવ્યા છે. તમારું એ કર્તવ્ય છે કે તમે લોકો બાળ મુનિઓના ઉલ્લાસને વધારતા રહો. તેમના મનને પ્રફુલ્લિત રાખો. હા, એમની સાથે એવી વાતો કદી ન કરો કે જેથી તેમનું મન સંસારસુખ પ્રત્યે આકર્ષાયિ. તમે એમની સાથે જ્ઞાન-વિજ્ઞાનની વાતો કરો. જ્ઞાનવર્ધક કિસ્સાઓ- વાઓ કહો. ચારિત્ર્યદ્રઢતા વધારનારી વાર્તાઓ કહો. - આવી ઘટનાઓ સંભળાવ્યા કરો. વાસ્તવમાં આ ખ્યાલ તો ગુરુએ કરવાનો હોય છે, તમારે તો સહાયક બનવાનું છે. ગુરુએ બાળ મુનિની જિજ્ઞાસાઓનું પ્રેમથી સમાધાન કરતા રહેવું જોઈએ. બાળસહજ જિજ્ઞાસાઓ તો ઉત્પન્ન થશે જ ! જે એ જિજ્ઞાસાઓનું સમુચિત સમાધાન કરવામાં આવે તો બાળ મુનિનો બૌદ્ધિક વિકાસ થાય છે અને ગુરુ પ્રત્યે તેનો પ્રેમ વધે છે. બાળ મુનિ પર વધારે દબાણ ન નાખવું જોઈએ. તેના મનની વાતો શાંતિથી, પ્રેમથી સાંભળવી જોઈએ, અને તેના જીવન-નિર્માણની યોજના કરવી જોઈએ. કઈ કઈ ધર્મ-આરાધનામાં બાળ મુનિને અભિરુચિ છે, તે જાણીને એ આરાધનામાં તે મુનિવરની પ્રગતિ કરાવવી જોઈએ. વિશેષ કરીને જ્ઞાનોપાસનામાં તેમની અભિરુચિ વધારવી જોઈએ. બાળ મુનિઓનું તમારે પણ ધ્યાન રાખવાનું છે. વૃદ્ધ સાધુઓ પ્રત્યે કર્તવ્ય : જેવી રીતે ગ્લાન અને બાળ મુનિઓની સેવા કરવાની છે, એ રીતે જે વયોવૃદ્ધ મુનિઓ હોય તેમનો પણ ખ્યાલ રાખવાનો છે. વૃદ્ધાવસ્થા માનવીને પરાધીન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy