SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ શ્રાવકજીવન એકાગ્રતા રાખવાથી તત્ત્વજ્ઞાનનું સમ્યક્ અવતરણ થઈ શકે છે. ગ્રંથકાર આચાર્યદેવે કહ્યું છે કે ‘નિર્ણયાવધારળમ્’ - આ સૂત્રનો અર્થ આટલો જ છે. ઉપાશ્રયમાં કર્તવ્યપાલન : તમે દ૨૨ોજ ઉપાશ્રયે જાઓ છો, સાધુપુરુષોને વંદન કરો છો, તેમની પાસેથી સમ્યગ્ જ્ઞાન પામો છો, જિનવચનોનું શ્રવણ કરો છો - સારું છે. આ બધું કરવું જ જોઈએ. પરંતુ આથી કંઈક વધારે કર્તવ્યોનું પાલન કરવા માટે ગ્રંથકારે કહ્યું છે } ग्लानादिकार्याभियोगः ॥६२॥ ઉપાશ્રયમાં જઈને તમારે જોવાનું છે કે : * કોણ બીમાર છે ? * કોણ બાલ મુનિ છે ? * કોણ વૃદ્ધ મુનિ છે ? * કોણ કોણ મુનિ અધ્યયનમાં નિમગ્ન છે ? * આજે કયા મુનિ અભ્યાગત છે ? કયા મુનિ બહારથી પધાર્યા છે ? આ સર્વ બાબતોનું ધ્યાન રાખવાનું છે. અને એ સર્વે પ્રત્યે તમારું જે કર્તવ્ય છે, તે કર્તવ્યમાં પ્રમાદ કરવાનો નથી. ઉલ્લાસથી કર્તવ્ય બજાવવાનું છે. ગ્લાન મુનિની સેવા જો કોઈ મુનિ ગ્લાન હોય, બીમાર હોય-રોગી હોય અને એને ઔષધની જરૂર છે, તો તમે ઔષધ લાવીને આપજો. કદાચ ડૉકટરની જરૂર હોય તો ડૉકટરને બોલાવી લાવજો. રાત્રે બીમારનો ખ્યાલ કરનાર કોઈ ન હોય તો તમે મુનિ પાસે રહો અને તેમની સેવા કરો. સભામાંથી : અમે લોકો તો અમારા પરિવારોમાં અમારાં માતા-પિતાની અને બાળબચ્ચાંની સેવા પણ કરતા નથી, ભલે તે બીમાર હોય ! સેવા કરવાનો ભાવ જ જાગતો નથી. મહારાજશ્રી ; એ તમારે તમારું દુર્ભાગ્ય સમજવું જોઈએ. બીમારની સેવા કરવાની ભાવના ન જાગતી હોય તો એ તમારું મોટું દુર્ભાગ્ય છે. બીમાર માતાપિતાની સેવા કરતા નથી, તો માનવતા ક્યાં રહી ? માનવતા નહીં હોય તો ધાર્મિકતા ક્યાંથી આવશે ? જીવનમાં માનવતા નહીં હોય તો ધાર્મિકતા પણ ન જ હોઈ શકે. માનવતારહિત મનુષ્ય ધાર્મિક ક્રિયાઓ કરતો હોય છતાં, ધાર્મિકતાનો ભાવ એનામાં પેદા થઈ જ શકતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy