SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૨ - - મનને તત્ત્વજ્ઞાનમાંથી આનંદ મેળવવા દો. સમાધાન લખી લો જે વાત તમારા મનમાં સ્પષ્ટ થઈ ગઈ હોય તેને તમારી નોટબૂકમાં લખી લો. એટલું જ લખો કે તમે એને સપ્તાહમાં એક-બે વાર વાંચી શકો. કેટલાક લોકો સાંભળતા જ નથી, લખતા જાય છે ! ખૂબ લખે છે ! પછી તેઓ જાતે જ વાંચી શકતા નથી ! મારા એક પરિચિત ભાઈએ મને કહ્યું હતું કે તેમને અનેક મુનિરાજોની પ્રવચનોની પચાસ નોટોથી વધારે નોટો લખી છે ! પચાસ નોટનાં પેજ કેટલાં ? એ ભાઈ લખે જ છે, ફરીથી વાંચતા નથી ! એટલે તેમને તત્ત્વજ્ઞાન યાદ નથી. ૧૪૯ વારંવાર તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવાથી એ વાત સ્મૃતિમાં દૃઢ થતી જાય છે. એ વાત ભૂલાતી નથી. વારંવાર અભ્યાસ કરવા માટે “શોર્ટ નોટ્સ” Short Notes લખવી જોઈએ. લાંબું-પહોળું ન લખવું જોઈએ. જે વિષયમાં તમને કોઈ શંકા ન રહી હોય, એ વિષયને જ લખો. બહુશ્રુત ગુરુ : તત્ત્વજ્ઞાનના ગંભીર વિષયોનો નિર્ણય "બહુશ્રુત” ગુરુ પાસેથી ક૨વો જોઈએ. જિનશાસનમાં બહુશ્રુત ગુરુનું વિશેષ સ્થાન છે. કોઈ કોઈ વાર તો બહુશ્રુત કહે તેને જ શાસ્ત્ર માનવામાં આવે છે. "શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર"માં બહુશ્રુત જ્ઞાનીની પૂજા કરવાનું કહ્યું છે, ભગવાન મહાવીર સ્વામીએ. બહુશ્રુત મહાપુરુષ, સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્રના ધારક તો હોય જ છે, વિશેષ રૂપે તેઓ જ્ઞાન-પ્રકાશનો પૂંજ હોય છે. નિશ્ચયનય અને વ્યવહારનયથી વસ્તુનું તેમજ વ્યક્તિનું અવલોકન કરવાની ક્ષમતા ધરાવે છે. આગમ ગ્રંથોની આજ્ઞાઓની દેશકાળના સંદર્ભમાં વ્યાખ્યા કરે છે. પુરુષ અને અવસ્થાના પરિપ્રેક્ષ્યમાં જિનાજ્ઞાઓનું નિરૂપણ કરે છે. અજ્ઞાનની અંધારી ગલીઓમાં ભટકતા જિજ્ઞાસુઓને તેઓ સમ્યગ્ જ્ઞાનના પ્રકાશપથ ઉપર લઈ આવે છે. તેમના સંપર્કમાં આવનાર મનુષ્ય જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં શંકારહિત બની જાય છે. એવા જ્ઞાની પુરુષોની શોધ કરવી પડશે. એવા જ્ઞાની પુરુષો મળવા મુશ્કેલ છે. છતાં પણ જે કાળમાં, જે સમયમાં, જે શ્રેષ્ઠ જ્ઞાની પુરુષ મળી જાય તેમની પાસેથી જ્ઞાન-તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરીને તેને સ્મૃતિમાં ધારણ કરી લેવું જોઈએ. એટલું જ તમે તત્ત્વચિંતન કરી શકશો. જ્ઞાની પુરુષોના સંપર્કમાં રહેવાથી અને એમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરતી વખતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy