SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ શ્રાવકજીવન જરા મૃત્યુ નથી, વ્યાધિ અને વેદનાઓ નથી. પરંતુ એ સ્થાન ઉપર આરોહણ કરવું અતિ કઠિન છે. ' કેશીકુમારે પૂછ્યું: “એ સ્થાન કયું છે? ગૌતમ સ્વામીએ કહ્યું : “એ સ્થાન નિવણિ, સિદ્ધિ, લોકાગ્ર, ક્ષેમ, શિવ, અવ્યાબાધ - વગેરે નામોથી પ્રસિદ્ધ છે. હે ભગવનું, એ સ્થાન શાશ્વત છે. લોકના અગ્રભાગ ઉપર સ્થિત છે. પરંતુ એની ઉપર ચડવું, ત્યાં સુધી પહોંચવું અતિ કઠિન કેશીકમારે પૂછ્યું : હે ગૌતમ, આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે ! આપે મારા સંશયોને નષ્ટ કરી દીધા! હે સંશયાતીત, હે સર્વસૂત્ર પારગામી, આપને મારા નમસ્કાર છે.” કેશીકુમાર આચાર્ય પોતાના ૫૦૦ શિષ્યો સાથે ભગવાન મહાવીરના ધર્મશાસનમાં સંમિલિત થઈ ગયા. આ બે પ્રજ્ઞાવંત મહામુનિઓનો સંવાદ સાંભળીને પૂરી પરિષદ સન્માર્ગે પ્રવૃત્ત થઈ. સર્વે લોકો આ બે મહાપુરુષોની પ્રશંસા કરવા લાગ્યા. “શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર'(અધ્યાય ૨૩)માં આ સંવાદ વાંચવા મળે છે. કેટલો મહાન છે આ સંવાદ ! અને કેશી આચાર્યની કેટલી સરળતા ! તેમણે ભગવાન મહાવીરનો અચેલક આચાર અને પાંચ મહાવ્રતમય સાધુધર્મ સ્વીકારી લીધો ! પોતાનો સચેલક આચાર અને ચાર મહાવ્રતમય સાધુધર્મનો આગ્રહ છોડી, દીધો ! કેશીકુમાર આચાર્યનું ઉચ્ચતમ વ્યક્તિત્વ સંવાદમાંથી શુભ પરિણામો પેદા થાય છે. કેશીકુમાર આચાર્યે પોતાની પરંપરા છોડી દીધી અને ભગવાન મહાવીરના શાસનમાં ભળી ગયા. પોતાની અલગ પરંપરાને લુપ્ત કરી દીધી. આ સામાન્ય કામ ન હતું, સાધારણ કામ ન હતું. વર્તમાનકાલીન પરિસ્થિતિઓને જોતાં અને બે હજાર વર્ષનો ઇતિહાસ જોતાં આ ઘટનાનું મૂલ્યાંકન ન કરી શકાય. આગમ અને શાસ્ત્રોનો સહારો લઈને, બુદ્ધિમાન લોકો પોતાની અલગ-અલગ પરંપરાઓ સ્થાપિત કરતા આવ્યા છે. અલગ પરંપરા સ્થાપીને, તેના નેતા બનીને - સ્થાપક બનીને ઇતિહાસમાં અમર થઈ જવાના મોહમાં ફસાઈ જનારાઓની સંખ્યા ઠીક ઠીક પ્રમાણમાં છે. આ લોકો - પરંપરાના સ્થાપક શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર વાંચતા ન હતા, એવું ન સમજતા, વાંચ્યું હતું. પરંતુ સત્યને વાંચવું સરળ છે, જીવવું મુશ્કેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy