SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૨ ૧૪૭ જરા વિચારો, જો કેશી આચાર્ય પોતાની પાર્શ્વનાથ-પરંપરાને ચાલુ રાખવા ઇચ્છતા હોત તો તેમને કોણ રોકી શકત ? એ કાળના પાર્શ્વનાથ-પરંપરાના તેઓ મુખ્ય આચાર્ય હતા. કેમ મહાવીરના શાસનમાં સંમિલિત થઈ ગયા ? પાર્શ્વનાથપરંપરા શું ખોટી હતી ? ના, એ પણ તીર્થંકરનું જ ધર્મશાસન હતું - સુંદર પરંપરા હતી. "લોકોનો મોક્ષમાર્ગમાં બુદ્ધિભેદ ન થાઓ,” એ મુખ્ય વિચારધારા હતી. લોકોના મનમાં "કોણ સાચો, કોણ ખોટો” - એક ચાર મહાવ્રતોનો ઉપદેશ આપે છે, તો બીજો પાંચનો ! એક લાલ-પીળાં વસ્ત્રો પહેરે છે, તો બીજો શ્વેત અને જીર્ણ વસ્ત્રો પહેરે છે. આવું કેમ ? આવું વિચારવાથી લોકો મોક્ષમાર્ગથી વિમુખ થઈ જાય છે. તીર્થંકરોએ કહ્યું છે કે ઃ લોકોને ધર્મીવમુખ કરવા, તે મોટું પાપ છે. લાખો જન્મ સંસારમાં ભટકાવનારું પાપ છે. એટલા માટે મોક્ષમાર્ગનો એક જ પ્રવાહ વહેવો જોઈએ. પરંતુ આ તો માત્ર આપણી ભાવના છે. આજે તો ધર્મશાસન એટલું વિભક્ત થઈ ગયું છે કે મોક્ષમાર્ગ દેખાતો જ નથી. પોતપોતાની અલગ પરંપરાઔ ઊભી કરવી અને તેમાં ‘શાસનરક્ષા,’ ‘સત્યરક્ષા’ની ભ્રમણાઓ રાખવી, એ આજની દુઃખદ પરિસ્થિતિ છે. વાદવિવાદ અને આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં "શાસનપ્રભાવના”ની કલ્પના કરનારા બુદ્ધિમાનોની સંખ્યા વધતી જાય છે. કેશી આચાર્ય અને ગૌતમ સ્વામીનો સંવાદ શાસ્ત્રમાં બંધ પડ્યો છે ! માનવું, ન માનવું તમારી ઇચ્છા, મેં તો આ સંવાદ શાસ્ત્રમાંથી લઈને આજે ખુલ્લો કરી દીધો છે. “ગુરુતમીત્તે પ્રશ્ન:’’ એ સૂત્રનું વિવેચન પૂર્ણ કરું છું. આજે, બસ આટલું જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy