SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ છું. ગૌતમ સ્વામી અને આચાર્ય કેશીકુમાર : શ્રમણ ભગવાન સ્વામીના પ્રથમ ગણધર શ્રી ઈન્દ્રભૂતિ ગૌતમ પોતાના શિષ્યવૃંદ સાથે શ્રાવસ્તિ પધાર્યા અને નગરની નજીક કોષ્ટક વનમાં સ્થિર થયા. એ નગરની બહાર હિંદુક-ઉદ્યાનમાં ભગવાન પાર્શ્વનાથની પરંપરાના આચાર્ય કેશીકુમાર શિષ્ય-પરિવાર સાથે બિરાજમાન હતા. ગૌતમ સ્વામીના શિષ્યો શ્રાવસ્તિમાં ભિક્ષા માટે જાય છે. કેશીકુમારના શ્રમણ પણ શ્રાવસ્તિમાં ભિક્ષા માટે જાય છે. લોકોમાં ચર્ચા થવા લાગી છે. સાધુઓના મનમાં પણ શંકાઓ ઉત્પન્ન થવા લાગી. એક જ મોક્ષમાર્ગ હોવા છતાં : કેશીકુમારના સાધુઓ વિવિધ રંગનાં અને મૂલ્યવાન વસ્ત્રો પહેરે છે અને ગૌતમ સ્વામીના સાધુઓ શ્વેત અને જીર્ણ વસ્ત્રો ધારણ કરે છે, આવો ભેદ શા માટે ? - શ્રાવકજીવન ભગવાન પાર્શ્વનાથે ચાર મહાવ્રતોનો ઉપદેશ આપ્યો અને ભગવાન મહાવીર સ્વામી પાંચ મહાવ્રતોનો ઉપદેશ આપે છે, આવો ભેદ શા માટે ? બીજી પણ આચારવિષયક ભિન્નતા પ્રત્યક્ષ જોતાં નગરમાં તેમ જ શ્રમણોમાં પરસ્પર ચર્ચા થવા લાગી. બંને આચાર્યોએ ૫૨સ્પ૨ મળવાનો નિર્ણય કર્યો. ગૌતમ સ્વામી શિષ્યવૃંદ સાથે હિંદુકવનમાં પધાર્યા, જ્યાં આચાર્ય કેશી બિરાજતા હતા. ગૌતમ સ્વામીને આવતા જોઈને કૈશીકુમારે ભક્તિ-બહુમાનથી તેમનું સ્વાગત કર્યું. ગૌતમ સ્વામીને બેસવા માટે પ્રાસુક-નિર્દોષ આસન આપ્યું. વાર્તાલાપનો પ્રારંભ કેશીકુમારે કર્યો. ‘હે મહાભાગ ! હું આપને પૂછવા ઇચ્છું છું’ - એમ બોલીને ગૌતમ સ્વામીની અનુમતિ મેળવીને પ્રશ્ન કર્યો : “વર્ધમાન સ્વામીએ પાંચ શિક્ષારૂપ ધર્મનું કથન કર્યું છે અને મહામુનિ પાર્શ્વનાથે ચાતુમિ ધર્મનું પ્રતિપાદન કર્યું છે. હે મેધાવિન્, એક મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થનારાઓના ધર્મમાં વિશેષ ભેદ હોવાનું કારણ શું છે ? અને ધર્મના બે ભેદ થઈ જતાં પણ આપના મનમાં સંશય કેમ થતો નથી ?’ ગૌતમ સ્વામીએ કહ્યું : “જીવાદિ તત્ત્વોનો વિનિશ્ચય જેમાં કરી શકાય છે એવા ધર્મતત્ત્વને પ્રજ્ઞા જ જોઈ શકે છે. પ્રથમ તીર્થંકરના મુનિ ઋજુ અને જડ તથા ચરમ તીર્થંકરના મુનિઓ વક્ર અને જડ છે. પરંતુ મધ્યમ ૨૨ તીર્થંકરોના મુનિઓ ઋજુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy