SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૧૪૩ અને પ્રાજ્ઞ હોય છે. આ કારણે ધર્મના બે ભેદ કરવામાં આવ્યા છે. પ્રથમ તીર્થંકરના મુનિઓનો આચાર દુર્વિશોધ્ય હતો, ચરમ તીર્થંકરના મુનિઓનો આચાર દુરનુપાલનીય હોય છે, પરંતુ ૨૨ તીર્થકરોના મુનિવરોનો આચાર સુવિશોધ્ય અને સુપાલનીય છે.” કેશીકુમારે કહ્યું: “આ વિષયમાં આપે મારી શંકા દૂર કરી, હવે બીજો પ્રશ્ન પૂછું છું. વર્ધમાન સ્વામીએ અચેલક ધર્મનો ઉપદેશ આપ્યો અને મહામુનિ પાર્શ્વનાથ સચેલક ધર્મનું પ્રતિપાદન કર્યું છે. હે ગૌતમ, એક જ મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત આપણામાં આટલો ભેદ કેમ ? તેમાં હેત કયો છે ? હે મેધાવિન ! લિંગ-વેશમાં ભેદ થઈ જતાં શું તમારા મનમાં સંશય ઉત્પન્ન નથી થતો ?” ગૌતમ સ્વામીએ કહ્યું: “લોકમાં પ્રત્યક્ષ માટે વષાદિકાળમાં, સંયમની રક્ષા માટે, સંયમયાત્રાના નિવહિ માટે, જ્ઞાનાદિ ગ્રહણ કરવા માટે "આ સાધુ છે,” એવી ઓળખાણ માટે, લોકોમાં લિંગ-વેશનું પ્રયોજન છે, હે ભગવન, વસ્તુતઃ બંને ય તીર્થકરોની આ જ પ્રતિજ્ઞા છે કે મોક્ષનાં અદૂભુત સાધન તો જ્ઞાન, દર્શન અને ચારિત્ર જ છે.” કેશીકુમારે પૂછ્યું : હે ગૌતમ, આપ અનેક-હજારો શત્રુઓની મધ્યમાં ઊભા છો. એ શત્રુઓ આપને જીતવા સન્મુખ આવી રહ્યા છે. આપે કેવી રીતે એ શત્રુઓને જીત્યા ?” ગૌતમ સ્વામીએ કહ્યું: ‘એકને જીતવાથી પાંચને જીતી લીધા, પાંચ જિતાતાં દશ જીતી લીધા અને દશ પ્રકારના શત્રુઓને જીતીને મેં સર્વ પ્રકારના શત્રુઓને જીતી લીધા છે.” કેશીકુમારે પૂછ્યું: “એ શત્રુઓ કોણ છે ? ગૌતમ સ્વામીએ કહ્યું: “હે મહામુનિ, અવશ આત્મા જ શત્રુ છે. કષાય અને ઇન્દ્રિયો પણ શત્રુઓ છે. એમને જીતીને હું વિચરું છું.' કેશીકુમારે પૂછ્યું: 'લોકમાં ઘણા જીવો પાશબદ્ધ દેખાય છે, તો આપ પાશમાંથી મુક્ત થઈને, લઘુ બનીને કેવી રીતે વિચરતા દેખાઓ છો ?” ગૌતમ સ્વામીએ કહ્યું “મુનિવર, એ પાશોનું સર્વ પ્રકારે છેદન કરીને, ઉપાયથી તેમને નષ્ટ કરીને વિચરું છું.' કેશીકુમારે પૂછ્યું: “એ પાશ કયા છે?' ગૌતમ સ્વામીએ કહ્યું: ‘ભગવન્, એ પાશ છે રાગ, દ્વેષ અને મોહ. પુત્રાદિના સંબંધરૂપ પાશ અતિ ભયંકર છે. એ પાશોનું છેદન કરીને હું વિચરું છું.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy