SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૧૪૧ આળસું હોવું સારું છે. જે જીવો ધમચિરણ કરે છે, તેમનું ઉદ્યમી હોવું સારું છે. કારણ કે ધર્મપરાયણ જીવ સાવધાન હોય છે, તો તે આચાર્ય ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષ, ગણ, સંઘ અને સાધર્મિકની સેવા-સુશ્રુષા કરે છે.” જયન્તીએ પૂછ્યું: “ભગવન્, શ્રોત્રેન્દ્રિયને વશીભૂત-પીડિત જીવ કયું કર્મ બાંધે છે ? ભગવાને કહ્યું : "હે જયન્તી, ક્રોધને વશ થયેલા જીવ જેવી રીતે સંસારમાં પરિભ્રમણ કરે છે, એવી રીતે શ્રોત્રેન્દ્રિયને વશીભૂત જીવ પણ સંસારમાં પરિભ્રમણ કરે છે. એટલું જ નહીં પાંચ ઇન્દ્રિયોને વશીભૂત જીવો સંસારમાં પરિભ્રમણ કરે છે, ભટકે છે.” ભગવાનના ઉત્તરોથી સંતુષ્ટ થઈને જયન્તી શ્રાવિકાએ પ્રવ્રજ્યા અંગીકાર કરી. જ્ઞાનનું ફળ વિરતિઃ જયન્તી શ્રાવિકાએ દીક્ષા લઈ લીધી. સર્વ પાપોનો ત્યાગ કરી દીધો. સંપૂર્ણ ધર્મમય જીવન સ્વીકારી લીધું. કેવી રીતે ? એમના પ્રશ્નોના ઉત્તરો મળવા માત્રથી ? ના, એમ તો અમારી પાસે પણ લોકો પ્રશ્નો પૂછવા આવે છે, ઉત્તરોથી સંતુષ્ટ થઈને ચાલ્યા જાય છે, પણ દીક્ષા નથી લેતા ! ભગવાનના ઉત્તરોથી જયન્તીના પ્રશ્નોનું સમાધાન તો થયું જ હતું, સાથે મનનું પણ સમાધાન થઈ ગયું હતું! ભગવાન પ્રત્યે "હવે તો હું ભગવાનની દરેક આજ્ઞાનું પાલન કરીશ,” એવી અપૂર્વ શ્રદ્ધા પ્રકટી હતી, તેણે સાચું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. જ્ઞાનના ફળ સ્વરૂપ વિરતિધર્મની પ્રાપ્તિ થઈ ગઈ હતી. જયન્તીના પ્રશ્નો કેટલા સુંદર છે ! ભગવાનના જવાબો કેટલા સુંદર છે સભામાંથી ? આ પ્રશ્નોત્તર સાંભળતાં ખૂબ આનંદ થયો. કોઈ વાદવિવાદ નહીં ! માત્ર સંવાદિતા જ છે પ્રશ્નોત્તરમાં ! મહારાજશ્રી જયન્તી શ્રમણોપાસિકા હતી અને સામે તીર્થકર ભગવાન હતા, એટલે વાદવિવાદનો પ્રશ્ન જ ઊભો થતો નથી ! જયન્તી પ્રબુદ્ધ શ્રાવિકા હતી. પ્રબુદ્ધ વ્યક્તિ વાદવિવાદમાં ગૂંચવાતી નથી. બે પ્રબુદ્ધ - સમાન કક્ષાના જ્ઞાની પુરુષો જ્યારે મળે છે ત્યારે કેવી રીતે પ્રશ્નોત્તર થાય છે એ સાંભળવા છે? જ્યાં વાદવિવાદ થવાની પૂરી સંભાવના હતી, છતાં વાદવિવાદની કોઈ કટુતા પેદા ન થઈ. હારજીતની કોઈ ખરાબ ભાવના પેદા ન થઈ. આ જ પ્રશ્નનો વિષય ચાલે છે તો એક અદ્ભુત અને વિરલ ઘટના સંભળાવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy