SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકજીવન ૧૪૦ ભવસિદ્ધિક જીવોથી આ સંસાર ખાલી ન થઈ શકે.” જયન્તીએ પૂછ્યું : “ભગવન, જીવ સૂતેલો સારો કે જાગતો સારો ? ભગવાને કહ્યું : "હે જયન્તી! જે જીવ અધાર્મિક છે, અધાર્મિકનું અનુસરણ કરે છે, જેને અધર્મ પ્રિય છે, જે અધર્મ કરનારો છે, જે અધર્મ જોનારો છે, જે અધર્મમાં આસક્ત છે, જે અધર્મનું આચરણ કરનારો છે, તેનું સૂનું સારું છે. એવો જીવ સૂતેલો રહે છે તો ઘણાંખરાં પ્રાણોનો, ભૂતોનો, જીવોનો અને સત્ત્વોના શોક તેમજ પરિતાપનું કારણ નથી બની શકતો. એવો જીવ, સૂતો હોય તો તેને પોતાને અને બીજાંને ઘણી અધાર્મિક સંયોજના નથી બનતી, એટલા માટે આવા જીવોનું સૂવું સારું છે. અને "હે જયન્તી, જે જીવ ધાર્મિક અને ધર્માનુસારી છે, જેનું આચરણ ધર્મયુક્ત છે, એવા જીવોનું જાગવું સારું છે. એવો જીવ જાગે છે તો ઘણાં પ્રાણીઓનાં અદુઃખ અને અપરિતાપ માટે કાર્ય કરે છે. એવો જીવ જાગે છે તો પોતાની અને અન્ય લોકો માટે ધાર્મિક સંયોજનાનું કારણ બને છે. આવા જીવોનું જાગવું સારું છે. એટલા માટે હું કહું છું કે કેટલાક જીવોનું સૂવું-સૂતા રહેવું સારું અને કેટલાક જીવોનું જાગવું સારું.” જયન્તીએ પૂછ્યું : ભગવન્ય જીવોની દુર્બળતા સારી છે કે સબળતા ?" ભગવાને કહ્યું “કેટલાક જીવોનું સબળ હોવું સારું તો કેટલાકની દુર્બળતા સારી છે." જયન્તીએ પૂછ્યું : “ભગવન્, એ આપ કઈ દ્રષ્ટિથી કહી શકો છો કે કેટલાક જીવોની દુર્બળતા સારી તો કેટલાકની સબળતા સારી ?" ભગવાને કહ્યું : "હે જયન્તી, જે જીવ અધાર્મિક છે, જે જીવ અધર્મથી જીવિકોપાર્જન કરે છે, એ જીવો માટે દુર્બળતા સારી છે, એ દુર્બળ હોય તો દુઃખનું કારણ બનતા નથી. જે જીવ ધાર્મિક છે તેમનું સબળ હોવું સારું. એટલા માટે કહું છું કે કેટલાક જીવોની દુર્બળતા સારી છે તો કોઈકની સબળતા." જયન્તીએ પૂછ્યું "ભગવન્! જીવોનું દક્ષ અને ઉદ્યમી હોવું સારું છે કે આળસુ હોવું સારું છે ?” ભગવાને કહ્યું "કેટલાક જીવોનું ઉદ્યમી હોવું સારું તો કેટલાકનું આળસું હોવું સારું.” જયન્તીએ પૂછ્યું "ભગવનું, આપ એવું કેવી રીતે કહી શકો છો ?” ભગવાને કહ્યું : "જે જીવો અધાર્મિક છે, અધમનુસાર વિચરણ કરે છે, તેમનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy