SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૧૩૯ "ભગવન, પ્રયત્ન કરવા છતાં પણ આપના કેટલાક ગહન વચનોનો અર્થ હું સમજી શકી નથી. આપ અર્થબોધ કરાવવા સમર્થ છો. એટલા માટે મારા મનના પ્રશ્નો પૂછવા ઈચ્છા રાખું છું." ભગવાને કહ્યું: ભદ્રે, તે પ્રશ્ન પૂછી શકે છે. જયન્તીએ પૂછ્યું: ભગવનું, જીવ ગુરુત્વને કેવી રીતે પામી શકે છે ?” ભગવાને કહ્યું "જયન્તી, પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, પ્રેમ-દ્વેષ, કલહ, દોષારોપણ, ચાડીચુગલી, રતિ-અરતિ. પરનિંદા, કલહપૂર્વક મિથ્યા ભાષણ અને મિથ્યાત્વ - આ ૧૮ દોષ છે. આ દોષોના સેવનથી જીવ ગુરુત્વ એટલે કે ભારેપણું પામે છે.” જયન્તીએ પૂછ્યું : "ભગવનું, આત્મા લઘુપણાને કેવી રીતે પામે છે ?” ભગવાને કહ્યું: “આ અઢાર દોષોને રોકવાથી લઘુપણાને-હલકાપણાને પામે છે. પ્રાણાતિપાતાદિ કરવાથી જેવી રીતે જીવ સંસારને વધારે છે, લાંબો કરે છે, સંસારમાં રખડે છે, એ રીતે પ્રાણાતિપાતાદિની નિવૃત્તિથી હલકો બને છે. સંસારને ઘટાડે છે, ઓછો કરે છે અને તેને ઓળંગી જાય છે.” "હલકાપણું, સંસારનું ઘટવું, સંસારનું નાનું થયું અને સંસારને ઉલ્લંઘવો એ પ્રશસ્ત છે. કારણ કે એ જ મોક્ષનાં અંગ છે. ભારેપણું, સંસારનું વધવું, સંસારનું દીર્ઘ થવું અને સંસારમાં ભટકવું એ અપ્રશસ્ત છે; કારણ કે તે અ-મોક્ષનાં અંગ જયન્તીએ પૂછ્યું: “ભગવન્! મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા જીવને સ્વભાવથી પ્રાપ્ત થાય છે કે પરિણામથી ?" ભગવાને કહ્યું “મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા સ્વભાવથી છે, પરિણામથી નહીં.” જયન્તીએ પૂછ્યું "ભગવન્, શું સર્વ ભવસિદ્ધિક જીવો મોક્ષગામી હોય છે?” ભગવાને કહ્યું “હા, જે ભવસિદ્ધિક છે, તે સર્વે મોક્ષગામી છે.” જયન્તીએ પૂછ્યું: “ભગવનું, જો સર્વ ભવસિદ્ધિક જીવોની મુક્તિ થઈ જશે તો શું આ સંસાર ભવસિદ્ધિક જીવો વગરનો થઈ જશે ?” ભગવાને કહ્યું "જયન્તી તું એવું કેમ કહે છે? જેવી રીતે સકિાશની શ્રેણી આદિ-અનંત હોય, બંને બાજુથી પરિમિત અને બીજી શ્રેણીઓથી પરિવૃત્ત હોય, તેમાંથી એક-એક સમયે એક-એક પરમાણુ પુદ્ગલ નીકળતાં નીકળતાં અનંત ઉત્સર્પિણી તથા અવસર્પિણી વ્યતીત થઈ જાય, તો પણ એ આકાશ શ્રેણી ખાલી થઈ શકતી નથી. એ પ્રકારે છે જયન્તી, ભવસિદ્ધિક જીવો સિદ્ધ થવા છતાં પણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy